જમ્મુ-કાશ્મીરના ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી, ૩૬નાં મોત,૧૯ લોકો ઘાયલ

Share this story

જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના અસ્સારમાં મોટો અકસ્માત સર્જાયાની માહિતી મળી રહી છે. ડોડા જિલ્લામાં એક બસ ૨૫૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં લોકોના મોત થયાની આશંકા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર 33 જેટલાં મૃતદેહો મળી આવ્યા છે. જોકે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. આ દરમિયાન બસે સંતુલન ગુમાવ્યું જેના કારણે તે નીચે ખાબકી હતી. હાલ જિલ્લા પોલીસ તંત્ર અને બચાવ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૬ જેટલાં લોકોના મોતની આશંકા છે. જો કે હજુ આ ઘટનામાં અત્યાર સુધીમાં ૩૩ લોકોના મોત અંગેની જ પુષ્ટિ થઇ છે. જોકે ૨૨ લોકોના ઘાયલ થયાની માહિતી મળી છે. એટલે મૃતકાંક વધવાની શક્યતા છે.

હાલ જિલ્લા પોલીસ તંત્ર અને બચાવ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૬ જેટલાં લોકોના મોતની આશંકા છે. જો કે હજુ આ ઘટનામાં અત્યાર સુધીમાં ૩૩ લોકોના મોત અંગેની જ પુષ્ટિ થઇ છે. જોકે ૧૯ લોકોના ઘાયલ થયાની માહિતી મળી છે. એટલે મૃતકાંક વધવાની શક્યતા છે. બસમાં ૫૫ મુસાફરો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઘાયલ ૧૯ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. યુદ્ધસ્તરે પોલીસ અને બચાવ ટુકડી દ્વારા લોકોને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

જ્યારે આ દુર્ઘટના બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં સર્જાયેલી બસ દુર્ઘટના દુખ:દ છે. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલદીથી જલદી સ્વસ્થ થાય. પીએમ મોદીએ મૃતકના પરિજનોને ૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :-

ભારતના બધુ એક દુશ્મન મૌલાના રહીમુલ્લાહને ગોળી મારી હત્યા
વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી, ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ