સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ૯ સીટર વિમાનનું ટાયર ફાટ્યું, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Share this story
  • સુરત એરપોર્ટ લેન્ડિંગ કરતા વેન્ચુરાના ૯ સીટર વિમાનનું ટાયર ફાટ્યું. પ્લેનમાં ૬ મુસાફરો સવાર હતા. કેપ્ટને માંડ માંડ લેન્ડિંગ કર્યું.

સુરત એરપોર્ટ પર ૯ સીટર વિમાનના લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના બની હતી. લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું હતું. વેન્ચ્યુરા કંપનીના વિમાનનું ટાયર ફાટતા રન-વે બંધ કરાયો હતો. દુર્ઘટના સમયે વિમાનમાં ૬ યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટના બાદ એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ફાયર બ્રિગેડની ટીમે મુસાફરોને સલામત એરક્રાફ્ટમાંથી ઉતાર્યા હતા. આ ઘટનાને પગલે ૨ કલાક સુધી સુરત રન-વે બંધ રાખવો પડયો હતો. રન-વે બંધ રહેતા એક વિમાન અમદાવાદ ડાઈવર્ટ કરાયુ હતું. તો બીજા વિમાનને આકાશમાં ૫ ચક્કર મારી લેન્ડ થવું પડયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાતે ૯ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અમદાવાદથી રાતે ૮ વાગ્યે વેન્ચુરાનું ૯ સીટર પ્લેન ટેકઓફ થયું હતું. જેમાં ૬ મુસાફરો સવાર હતા. આ પ્લેન ૯ વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું. ત્યારે અચાનક જ ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવા છતા કેપ્ટને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યુ હતું. આ ઘટનાથી પ્લેનમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

આ પણ વાંચો :-