સોમવારે યુકેનમાં રશિયન મિસાઈલો અને ડ્રોન દ્વારા વિનાશ મચાવ્યો હતો. જેમાં ૧૨ લોકો માર્યા ગયા અને 40 ઘાયલ થયા. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાઓને ભયાનક ગણાવ્યા હતા. રશિયાએ ચાર વર્ષ પહેલા યુકેન પર આક્રમણ શરૂ કર્યું હતું. યુએનના ડેટા અનુસાર, આ યુદ્ધમાં 16,000 થી વધુ યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે. રશિયા યુકેનના માળખાકીય સુવિધાઓનો નાશ કરવાનું અને લોકોનું મનોબળ ઘટાડવાનું ચાલુ રાખે છે.
રશિયન મિસાઇલોએ ડિનિપ્રો શહેરમાં માળખાગત સુવિધાઓને નિશાન બનાવી હતી. આ હુમલામાં છ લોકો માર્યા ગયા અને ૨૯ ઘાયલ થયા. ઝાપોરિઝિઝયા શહેરમાં રશિયન ડ્રોન એક પેસેન્જર બસ સાથે અથડાયા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા. સુમી પ્રદેશમાં ડ્રોન હુમલામાં એક વૃદ્ધ મહિલા અને એક પુરુષનું મૌત થયું, ખાર્કિવના મેયરે અહેવાલ આપ્યો કે ત્યાં દિવસના સમયે થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. છ અન્ય યુક્રેનિયન પ્રદેશોમાં પણ જીવલેણ હુમલા થયા છે.
આ રશિયન ડુમલાઓએ આઠ ચુકેનિયન પ્રદેશોમાં વીજ પુરવઠો ખોરવી નાખ્યો છે. તીવ્ર ગરમીને કારણે લોકોને એર કંડિશનરનો ઉપયોગ કરવાની ફરજ પડી છે, જેના કારણે વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર યુરોપને અપીલ કરી છે. તેમણે કહ્યું કે યુરોપે રશિયન બેલિસ્ટિક મિસાઇલોને રોકવા માટે તેના સંરક્ષણ અને મિસાઈલ સિસ્ટમને મજબૂત બનાવવી જોઈએ. તેમણે ભાર મૂક્યો કે લોકોને આ ભયાનક હુમલાઓથી બચાવવા માટે એન્ટિ-બેલિસ્ટિક ક્ષમતાઓની તાત્કાલિક જરૂર છે.
છેલ્લા કેટલાક મહિનામાં યુદ્ધમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુકેને રશિયન તેલ સ્થાપનો પર ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. આ હુમલાઓને કારણે રશિયા અને તેના કબજા હેઠળના પ્રદેશોમાં ઇંધણની તીવ્ર અછત સર્જાઈ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર સ્વીકાર્યું કે યુકેનના હુમલાઓએ રશિયામાં ઇંધણ સંકટ પેદા કર્યું છે. પેટ્રોલ સ્ટેશનો પર લાંબી કતારો લાગી રહી છે અને લોકોનો ગુસ્સો પ્રબળ છે. આ છતાં, પુતિને સ્પષ્ટપણે હાર માનવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે રશિયા આખરે આ યુદ્ધ જીતશે. કેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવે એમ પણ કહ્યું કે રશિયાનો ઉદ્દેશ્ય બદલાયો નથી અને તેની સેના આગળ વધતી રહેશે.