Tuesday, Jun 30, 2026

જામલિયા પાસે ધરમપુર-પાલનપુર ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત, પાંચ ઘાયલ

1 Min Read

વાંસદા તાલુકાના જામલિયા વળાંક પાસે ધરમપુરથી પાલનપુર જતી એસટી બસ સામેથી આવતી ટ્રક સાથે વરસાદ અથડાતા ટ્રકમાં સવાર ક્લીનર અને એસટી બસમાં સવાર અજાણ્યા મુસાફર અને ટ્રકના ક્લિનરના મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ થી વધુ મુસાફરો ને ઓછો વતી ઈજાઓ થઈ હતી.

વાંસદા તાલુકાના જામલિયા વળાંક પાસે ધરમપુરથી પાલનપુર જતી ST બસ નં. GJ-18-ZT-3151 અને સોનગઢથી કપરાડા તરફ જતી ટ્રક નં. GJ-15-AV-7518 વરસાદને કારણે બસના પાછલા ભાગે અથડાતા બસના એક અજાણ્યા મુસાફરને ગંભીર ઈજાઓ થતાં વલસાડ રિફર કરાયો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકના ક્લીનર સોનગઢના વિજય ગામીતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ટ્રક ચાલક શૈલેષ ગામીત સહિત પાંચને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી ‌ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article