ટ્રેનની ટિકિટ કેન્સલ કરતા પહેલા ક્યારેય ના કરશો આ ભૂલ, જાણો IRCTCનો નિયમ

Share this story

દિવાળી વેકેસન અને તહેવારોની સિઝન હોવાથી ટ્રેન તેમજ બસોમાં ખૂબ ભીડ જોવા મળતી હોય છે. તહેવારોમાં મોટા પ્રમાણમાં લોકો મુસાફરી કરતા હોય છે તેથી ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ હોય છે. જેના કારણે મોટાભાગના લોકોની ટિકિટ વેઈટિંગમાં હોય છે, તેથી મજબુરીના કારણે લોકો ટિકિટ કેન્સલ કરાવતાં હોય છે. જેમા પ્રવાસીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે.

જો તમે તમારી વેઈટિંગ ટિકિટ અથવા કન્ફર્મ ટિકિટ કોઈ કારણસર કેન્સલ કરાવવાનું વિચારી રહ્યા હોવ તો, તે પહેલા તમે IRCTC ના કેન્સલેશન અને રિફંડ માટેના નિયમો વિશે જાણી લેજો, જેથી કરીને તમારે વધારે રુપિયાનું નુકસાન ન આવે. ભારતીય રેલવેમાં ટિકિટ બુક કરાવવા માટે મોટાભાગે લોકો અધિકૃત એપ અથવા રેલવેની IRCTC વેબસાઈટ પરથી અથવા તો રિઝર્વેશન કાઉન્ટર પર જઈને ટિકિટ બુક કરાવી શકો છો. IRCTC ઈ- ટિકિટ કેન્સલ થવા પર બે કેટેગરીમાં રિફંડ આપે છે. પહેલું ચાર્ટ તૈયાર કરવા પહેલા અને બીજુ ચાર્ટ તૈયાર કરાયા પછી. આ બે કેટેગરીમાં અલગ- અલગ રિફંડની પ્રક્રિયા છે જેના વિશે તમને ખબર હોવી જોઈએ.

  • ૧st AC એક્ઝીક્યુટિવ ક્લાસ માટે ૨૪૦ રુપિયા કાપવામાં આવે છે.
  • ૨nd AC માટે ૨૦૦ રુપિયા કાપવામાં આવે છે.
  • ૩rd AC માટે ૧૮૦ રુપિયા કાપવમાં  આવે છે.
  • સ્લીપર ક્લાસ માટે ૧૨૦ રુપિયા કાપવામાં આવે છે.
  • સેકેન્ડ ક્લાસ માટે ૬૦ રુપિયા કાપવામાં આવે છે.

IRCTC ના નિયમ પ્રમાણે ચાર્ટ તૈયાર થઈ ગયા પછી તમે ટિકિટ કેન્સલ કરાવી શકતા નથી. તેમજ આવા સંજોગોમાં તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને કોઈ રિફંડ નહી મળી શકે.  જો કે, તમે ટીડીઆર જરુરથી ફાઈલ કરી શકો છો. ટીડીઆર ફાઈલ કરવાના માટે પણ કેટલાક નિયમો છે જેના વિશે તમને ખબર હોવી જોઈએ.

આ પણ વાંચો :-