Wednesday, Oct 29, 2025

અમદાવાદમાં ફરી ભરાશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, જાણો વિગતે

2 Min Read
  • બાગેશ્વરના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર અમદાવાદ આવશે. જે બાદ અમદાવાદમાં ફરી બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ૩ દિવસ અમદાવાદમાં રોકાશે. ઓક્ટોબરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને રામ કથા માટે આમંત્રણ અપાયું છે.

બાગેશ્વરના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર અમદાવાદ આવશે. જે બાદ અમદાવાદમાં ફરી બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ૩ દિવસ અમદાવાદમાં રોકાશે. ઓક્ટોબરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને રામ કથા માટે આમંત્રણ અપાયું છે.

બાબા બાગેશ્વરના આગમન પહેલા જ અમદાવાદના અયોજકએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાબા બાગેશ્વરના પોસ્ટરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રામકથા માટે અમદાવાદથી આયોજકે આમંત્રણ આપ્યું છે. નોંધનીય છે કે આ પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજ્યના વિવિધ શહેરોમાં દિવ્ય દરબાર યોજ્યો હતો.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર બાબા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરના મહિનાઓમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે.

થોડા દિવસ પહેલા ગ્રેટર નોઈડામાં તેમની કથા હતી. જો કે તે હવે તેમના નિવેદનોના કારણે વિવાદમાં ફસાઈ રહ્યાં છે. પરણિત મહિલાઓ પર બાબાએ કરેલા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે આ નિવેદના કારણે તેમનો વિરોધ થઇ રહ્યો છે.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મહિલાઓ વિશે નિવેદન આપ્યું હતું કે ‘ પરણિત સ્ત્રીઓએ ગળામાં મંગળસૂત્ર અને માંગ ભરવી જોઈએ નહિત તો લોકો સમજશે કે ‘પ્લોટ’ ખાલી છે.

આ પણ વાંચો :-

Share This Article