Thursday, May 22, 2025

આર્સેલર મિત્તલ લેશે મોટો નિર્ણય, 600 કર્મચારીઓની થશે છટણી

2 Min Read

વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ આશરે 600 જેટલા કર્મચારીઓની છટણી કરવાનું વિચાર્યુ છે. યુરોપીય સ્ટીલ ક્ષેત્રે આવેલા સંકટને કારણે કંપની આ વખતે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

એએફપીના રિપોર્ટ અનુસાર લેઓફથી ઉત્તર ફ્રાંસમાં આર્સેલર મિત્તલ કંપનીની સાત સાઇટને અસર થઇ શકે છે, જેમાં આશરે 7,100 લોકો કામ કરે છે. હકાકતમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે લગાવવામાં આવેલા ટેરિફને કારણે યુરોપીય સ્ટીલ ઉદ્યોગ હાલમાં ઘણા દબાણ હેઠળ છે. તેની પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવી છે. આ જ કારણ છે કે ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે અને આર્સેલર મિત્તલની કંપનીમાં રોજગારી ઓછી કરવાનો વિચાર કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, ભારતીય મૂળના લક્ષ્મી મિત્તલ અને તેમના પરિવાર આ કંપનીમાં 39.87 ટકા માલિકી ધરાવે છે. જ્યારે 56.20 ટકા હિસ્સો જાહેર શેરધારકો પાસે છે. આર્સેલરમિત્તલ એસ.એ. લક્ઝમબર્ગ સ્થિત એક યુરોપિયન બહુરાષ્ટ્રીય કંપની છે. લક્ષ્મી મિત્તલ આ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. આર્સેલરમિત્તલની રચના વર્ષ 2007 માં થઈ હતી. જેમાં આર્સેલરને લગભગ 33 અબજ ડોલરમાં હસ્તગત કરવામાં આવી હતી.

આર્સેલર કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ડિસેમ્બર 2024 સુધી, આ કંપનીમાં 1,25,416 કર્મચારીઓ હતા અને 2024 માં કંપનીની આવક 62.24 અબજ ડોલરની હતી. નોંધનીય છે કે અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ગૂગલ પણ છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં વિવિધ એકમોમાંથી લોકોને દૂર કરવાની યોજનાના સમાચાર હતા. જોકે, ગૂગલે ભારતમાં કોઈપણ છટણી અંગે સત્તાવાર નિવેદન આપ્યુ નથી.

Share This Article