વ્હોટસએપમાં આવ્યું ગજબનું ફીચર : વગર નંબરે પણ લોગિન થઈ શકશે, દુરુપયોગની કોઈ ચાન્સ જ નહીં

Share this story
  • વોટસએપનું નવું ફીચર લાવ્યું છે. જેના ભાગરૂપે હવે વોટસએપ નંબર વગર પણ લોગિન કરી શકશે, જાણો સમગ્ર અહેવાલ !

WhatsApp કંપની સતત ઘણા મોટા અપડેટ રજૂ કરતી રહે છે. પોતાના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને સમયાંતરે બદલાવ કરતું હોય છે. જેમાં WhatsApp પર નવું એકાઉન્ટ બનાવવા અથવા કોમ્પ્યુટર, લેપટોપ સહિતના નવા ઉપકરણમાં લોગિન કરવા માટે મોબાઈલ નંબર ફરજિયાત જરૂરી હોય છે. પરંતુ હવે WhatsApp ઈમેલ વેરિફિકેશન દ્વારા પણ લોગિન કરી શકાશે.

જ્યારે નવા ઉપકરણ પર WhatsApp પર લોગિન કરવું હોય, તો હવે તમે WhatsApp ઈમેલ વેરિફિકેશન દ્વારા પણ લોગઈન કરી શકાશે. આ અંગે જલ્દી જ યુઝર્સ લાભ લઇ શક્શે. કંપની આ ફીચર પર કામ કરી રહી છે. નવા ફીચરને લેટેસ્ટ અપડેટ વર્ઝન 2.23.18.19ના બીટા પ્રોગ્રામમાં જોવાયું છે.

લીલો રંગ પણ કાઢી નાખવામાં આવી શકે છે :

આ ફીચર અમલમાં આવતાની સાથે જ વોટસએપ એકાઉન્ટમાં લોગિન કરવા માટે મોબાઈલ નંબરની જરૂરિયાત પુરી થઈ જશે. જ્યારે મોબાઈલ નેટવર્ક ન હોય ત્યારે આ ફીચર આશીર્વાદરૂપ સાબિત થશે. ઈમેલ વેરિફિકેશનમાં મોબાઈલ કોન્ટેક્ટ જોવા મળશે નહીં.

આ ફીચર વૈકલ્પિક ધોરણે એટલે કે તમારા અનુસાર તમે એને વાપરી શકશો. જોકે વોટસએપ એકાઉન્ટનો દુરુપયોગ અટકાવી શકાય તે દિશામાં હાલ આ ફીચર પર કામ કરી રહી છે. ફેરફાર બાદ સંપૂર્ણપણે નવો લુક જોવા મળશે. મેટાની મેસેજિંગ એપનું લેટેસ્ટ વર્ઝનમાંથી આ વખતે લગભગ લીલો રંગ પણ કાઢી નાખવામાં આવી શકે છે. વધુમાં નાનામોટા અનેક બદલાવ અમલમાં આવી શકે છે.

આ પણ વાંચો :-