HomeSurat Cityઅખિલેશ યાદવનો કટાક્ષ: “યોગીને વાંદરાના ટોળામાં બેસાડી દો તો કોઈ ઓળખી નહીં...

અખિલેશ યાદવનો કટાક્ષ: “યોગીને વાંદરાના ટોળામાં બેસાડી દો તો કોઈ ઓળખી નહીં શકે!

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA) માટે ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને વાંદરા ગણાવતા ‘અપ્પુ, પપ્પુ અને ટપ્પુ’ નામ આપ્યા હતાં. હવે અખિલેશ યાદવે વળતો જવાબ આપ્યો છે, તેમણે કહ્યું કે જો આદિત્યનાથને વાંદરાઓના ટોળા વચ્ચે બેસી જાય તો કોઈ તેમને ઓળખી નહીં શકે.

બિહારમાં મહા ગઠબંધન માટે ચૂંટણી પ્રચાર કરતા અખિલેશ યાદવે જણાવ્યું, “ભાજપ ગાંધીજીના ત્રણ વાંદરાઓને યાદ કરી રહી છે કારણ કે તે લોકોને મહત્વપૂર્ણ મુદ્દાઓથી ભટકાવવા ઈચ્છે છે. જો તેમને વાંદરાઓના ટોળા વચ્ચે બેસાડવામાં આવે, તો તમે કે હું તેમને ઓળખી નહીં શકીએ.”

અખિલેશ યાદવે કહ્યું કે લોકો મોંઘવારી, બેરોજગારી અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ સામે લડી રહ્યા છે, ત્યારે ભાજપ વાંદરાઓ વિશે વાત કરવાનું પસંદ કરી રહી છે. તેમણે કહ્યું કે મતદારોએ દેશની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આદિત્યનાથે શું કહ્યું?
મુઝફ્ફરપુરમાં એક રેલી દમિયાન આદિત્યનાથે લોકોને સંબોધતા કહ્યું હતું, “તમે ગાંધીજીના ત્રણ વાંદરાઓ વિશે જાણતા જ હશો કે તેઓ ખરાબ બોલતા નથી, ખરાબ સાંભળતા નથી, કે ખરાબ જોતા નથી. પરંતુ અહીં ત્રણ વાંદરાઓ, અપ્પુ, પપ્પુ અને ટપ્પુ, બિહારના લોકોને જૂઠું બોલવા અને અહીં જંગલ રાજ સ્થાપવા માટે મથી રહ્યા છે.”

આદિત્યનાથે કહ્યું કે આ ત્રણેય NDA સરકારની સિદ્ધિઓ પ્રત્યે “આંધળા, બહેરા અને મૂંગા” છે. એક સારું કામ જોઈ શકતો નથી, બીજો વખાણ સાંભળી શકતો નથી, અને ત્રીજો તેના વિશે વાત કરતો નથી.

Subscribe

Latest stories