અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર નરોડા-6 કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો એ કાર્યવાહી હાથ ધરી છે. રૂૂ. 2.50 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર સહીત ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જયારે એક આરોપી હજુ ફરાર હોય તેની ધરપકડ માટે એસીબીની ટીમે તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર 4 મે, 2026ના રોજ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી પાસે છટકું ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં આ કેસના ફરિયાદીએ પોતાના રહેણાક મકાનના દસ્તાવેજની પ્રક્રિયા માટે કચેરીની જરૂૂરી પ્રક્રિયા અનુસરી ત્યારે સબ રજીસ્ટ્રાર આકાશ અમૃતભાઈ દેસાઈએ દસ્તાવેજમાં ક્ષતિ બતાવી હતી. બાદમાં કચેરીમાં સીકકા ઓપરેટર તરીકે કાર્યરત જય બળદેવભાઈ આદિવાસીએ ફરીયાદીને વોટ્સએપ કોલ કરી જણાવ્યું હતું કે તેમનું કામ સરળતાથી થઈ જશે અને કલેક્ટર કચેરીમાંથી કલમ 73(અઅ)નું સર્ટિફિકેટ લાવવાની જરૂૂર રહેશે નહીં.

ત્યારબાદ જય આદિવાસી અને સર્ચ ઓપરેટર રાહીલ શૈખે ફરીયાદીને મળી ટોકન અનલોક કરવા માટે પ્રથમ તબક્કામાં રૂૂ.35,000 ઓનલાઇન ક્યુઆર કોડ મારફતે વસૂલ્યા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી સબ રજીસ્ટ્રારના કહેવાથી આરોપી નં-2 અને 3 દ્વારા કુલ રૂૂ. 2.50 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન રૂૂ. 2.50 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર આકાશ અમુતભાઈ દેસાઈ, સિક્કા-ઓપરેટર-સ્ટેમ્પિંગ જય બળદેવભાઈ આદિવાસી અને વ્ચેતીયો નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાની ધરપકડ કરી હતી. જય આદિવાસીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને સબ રજીસ્ટ્રારના વતી રકમ સ્વીકારવાની વ્યવસ્થા કરી. આ દરમ્યાન જય આદિવાસી અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાએ મળીને સ્થળ પર રૂૂ. 2.50 લાખની લાંચ સ્વીકારી હતી.