જામનગરમાં વિદ્યાર્થીના અપહરણ કરાયા બાદ હત્યા કરાતાં મચી ખળભળાટ

Share this story

જામનગરમાં સગીરનું અપહરણ કરાયા બાદ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ધોળા દિવસે ૧૧માં ધોરણના વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કર્યા બાદ તેની કરપીણ હત્યા કરી દેવાઈ છે. પહેલા આ વિદ્યાર્થીના અપહરણને લઈ અફરાતફરીના માહોલ વચ્ચે પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે CCTV કેમેરા ચેક કર્યા બાદ આરોપીઓને ઝડપી પાડવા કવાયત કરી હતી. જે બાદમાં એક અવાવરુ જગ્યાએથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિજનો ભાંગી પડ્યા હતા. આ તરફ હવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર ૧૫માં બ્લોક નંબર ૩૦૨માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયાના ૧૭ વર્ષના પુત્રનું અપહરણ કરાયું હતું. વિગતો મુજબ ગઈકાલે બપોરે ૦૧:૦૦ વાગ્યે ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈનો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. જે બાદમાં આ વિદ્યાર્થી એકાએક લાપતા બન્યો હતો.

પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો કોઈ પતો નહીં લગતા આખરે સીટી એ. ડિવિઝન નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ તરફ પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જ્યાં મોહન નગર આવાસના બિલ્ડીંગના CCTV કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ પણ વાંચો :-