Thursday, Jun 18, 2026

અમદાવાદના ન્યૂ રાણીપમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ફ્લેટના છઠ્ઠા માળેથી ઝંપલાવ્યું

2 Min Read

ન્યૂ રાણીપ વિસ્તારમાં વહેલી સવારે 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. વિધાર્થીએ ફલેટના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. પોલીસ તપાસમાં મૃતક વિધાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે.

આત્મહત્યા કયા કારણથી કરી તે અંગે હજુ કોઈ કારણ સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણ થતાં જ સાબરમતી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વિદ્યાર્થીએ કયા માનસિક દબાણ કે અન્ય કયા કારણસર આત્મહત્યા કરી તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં પોલીસે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ન્યૂ રાણીપના એરિસ્ટો આનંદમ ફ્લેટ ખાતેનો બનાવ
મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના આજે વહેલી સવારે ન્યૂ રાણીપના એરિસ્ટો આનંદમ ફ્લેટ ખાતે બની હતી. સવારના સમયે ફ્લેટની નીચે લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસ કંટ્રોલ રૂમ અને પરિવારને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીએ ફ્લેટ પરથી અગમ્ય કારણોસર કૂદકો મારીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે.

આત્મહત્યાનું કારણ અકબંધ, તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ પરીક્ષાના ડિપ્રેશન કે સ્ટ્રેસના કારણે આ પગલું ભર્યું છે કે પછી કોઈ અન્ય અંગત કારણ જવાબદાર છે, તેનો ખુલાસો હજુ સુધી થઈ શક્યો નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશો અને અન્ય વિદ્યાર્થીઓમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.

Share This Article