HomeSurat Cityઉનાળાના વેકેશનમાં નેચર પાર્ક હાઉસફુલ, પ્રવાસીઓની સંખ્યાએ બનાવ્યો નવો રેકોર્ડ

ઉનાળાના વેકેશનમાં નેચર પાર્ક હાઉસફુલ, પ્રવાસીઓની સંખ્યાએ બનાવ્યો નવો રેકોર્ડ

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

ઉનાળુ વેકેશન દરમિયાન પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્થાનિક નેચર પાર્કમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા અને આવક બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે 2026ના વેકેશન ગાળા દરમિયાન 1.09 લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને નેચર પાર્કને 30 લાખથી વધુની આવક થઈ છે જે ગત વર્ષની સરખામણીએ વધુ છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલું ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજિકલ પાર્ક (પ્રાણી સંગ્રહાલય) ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓથી ઉભરાઈ ગયું હતું. ઉનાળા વેકેશન મોટી સંખ્યામાં મુલાકાતીઓ નેચર પાર્ક ખાતે આવ્યા હતા. ચાલુ વર્ષે 2026માં 4 મેથી 7 જૂન 2026 સુધીના વેકેશન ગાળા દરમિયાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલયમાં કુલ 1,09,189 મુલાકાતીઓ નોંધાયા હતા, જેનાથી ઝૂને કુલ રૂ. 30,08,950ની આવક થઇ છે.

ગયા વર્ષેની સરખામણીએ આ વર્ષે વધુ મુલાકાતીઓ નોંધાયા છે, ગયા વર્ષે 5 મે 2025થી 8 જૂન 2026 સુધીના ઉનાળા વેકેશન ગાળા દરમ્યાન નેચર પાર્ક ખાતે 1,03,879 મુલાકાતીઓ નોંધાયા હતા અને નેચર પાર્કને 27,67,080 રૂપિયાની આવક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશન દરમ્યાન નેચર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. નેચર પાર્કમાં રહેલા સિંહ, વાઘ, દીપડા સહીતના પ્રાણીઓ અને પક્ષીઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે આ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.

Subscribe

Latest stories

spot_img