HomePoliticsSIR પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો, કોંગ્રેસે ઉઠાવ્યા મતદાતાઓના અધિકારોના...

SIR પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો, કોંગ્રેસે ઉઠાવ્યા મતદાતાઓના અધિકારોના મુદ્દા

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમો અને કાયદા મુજબ ચાલી રહી છે. બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી બાદ રાજકીય પક્ષોમાં ચર્ચા તેજ બની ગઈ છે. બિહાર કોંગ્રેસે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે અને મતદાતાઓના અધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

બિહાર કોંગ્રેસના પ્રવક્તા ડો. સ્નેહાશીષ વર્ધને કહ્યું કે SIR પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની ઉતાવળમાં મતદાતાઓને તેમના મતાધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા યોગ્ય મતદાતાઓના હકોનું હનન ન થાય અને આ પ્રક્રિયા હેઠળ એકપણ માન્ય મતદાતાના અધિકારોનો ભંગ ન થાય, તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટે પણ નિભાવવી જોઈએ.

નામ કાપવાની પ્રક્રિયાનો વિરોધ
તેમણે કહ્યું કે જનતાના અધિકારોની રક્ષા માટે સામાન્ય લોકો આશાભરી નજરે અદાલતો તરફ જુએ છે. આવી સ્થિતિમાં મતદાતાઓના અધિકારો સુરક્ષિત રહે તે અત્યંત મહત્વપૂર્ણ છે. ડો. સ્નેહાશીષ વર્ધને જણાવ્યું કે અમે સતત માન્ય મતદાતાઓના નામ કાપવાની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. લોકશાહીની મજબૂતી માટે દરેક મત મહત્વનો છે. તેમણે વધુમાં કહ્યું કે અમારા નેતા રાહુલ ગાંધી સતત મતદાતાઓના અધિકારો માટે લડ્યા છે. કોંગ્રેસ પાર્ટી દેશના દરેક માન્ય મતદાતાના અધિકારોનું હનન થવા દેશે નહીં.

દીપક પ્રકાશે SIRને નિયમિત પ્રક્રિયા ગણાવી
બીજી તરફ, બિહાર સરકારના પંચાયતી રાજ મંત્રી દીપક પ્રકાશે કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે, “SIR કોઈ મુદ્દો નથી. SIR એક નિયમિત પ્રક્રિયા છે. જ્યારે જ્યારે ચૂંટણી પંચને મતદાર યાદીમાં સુધારો કરવાની જરૂર લાગી છે, ત્યારે ત્યારે SIR કરવામાં આવ્યું છે. અગાઉ પણ થયું છે અને આગળ પણ થતું રહેશે.”

તેમણે વધુમાં કહ્યું કે વિરોધ પક્ષ બિનજરૂરી રીતે તેને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. “બિહારમાં પણ તેને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ થયો હતો અને પશ્ચિમ બંગાળમાં પણ આવું થયું હતું. પરિણામ સૌના સામે છે. આ માત્ર નિયમિત કામગીરી છે અને તેને લઈને બિનજરૂરી મુદ્દો ઉભો કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.”

Subscribe

Latest stories

spot_img