Thursday, May 14, 2026

મુખ્યપ્રધાન બન્યા બાદ વિજય એક્શનમાં! તમિલનાડુમાં 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

2 Min Read

તમિલનાડુના મુખ્યપ્રધાન બન્યા બાદ વિજય એક્શનમાં આવી ગયા છે. મંગળવારે તેમણે એક મહત્વનો નિર્ણય લેતા ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેશનોથી 500 મીટરની અંદર આવેલી 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓને બે અઠવાડિયાની અંદર આ આદેશનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.

આજે મંગળવારે જાહેર કરવામાં આવેલા એક સરકારી આદેશ મુજબ, “તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા હાલમાં 4,765 દારૂની છૂટક દુકાનો ચલાવવામાં આવી રહી છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન, એસ જોસેફ વિજયે, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેશનોથી 500 મીટરના વિસ્તારમાં આવેલી દુકાનોની નોંધ લેવા માટે ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો.”

આદેશ અનુસાર, દારૂની કુલ છૂટક 717 દુકાનો કાર્યરત હોવાનું જણવા મળ્યું છે. ધાર્મિક સ્થળોની નજીક 276 દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓની નજીક 186 દુકાનો અને બસ સ્ટેશનની નજીક 255 દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દારૂની દુકાનો કડક નિયમન રાખવાના હેતુ સાથે આ પગલા ભરવામાં આવી રહ્યા છે. સંવેદનશીલ જાહેર સ્થળોની નજીક TASMACની દુકાનોની ચિંતાઓનો વિષય છે, જેને બંધ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે ચૂંટણી પહલે તમિલગા વેત્રી કઝગમ (TVK) દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં, એવું વચન આપવામાં આવ્યું હતું કે તે તમિલનાડુને ડ્રગ મુક્ત બનાવવામાં મદદ કરશે, જેના અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 10 મેના રોજ વિજયે તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા, જેના બે દિવસ પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Share This Article