સુરતના મોટા વરાછા વિસ્તારમાં હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે 13 એપ્રિલની સાંજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગ દરમિયાન કામ કરતી વખતે ત્રણેય મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી હતી, ત્યારે પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે તેમને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ટીનુબેન રાઠોડનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાકી બે મહિલાઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર બેકાબૂ બની રસ્તા પરથી ઉતરી બે-ત્રણ વાર પલટી મારી ખાળીયામાં ખાબકી ગઈ હતી. ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કારચાલક 19 વર્ષીય યુવકને પકડીને ફટકાર્યો હતો.
મૃતક ટીનુબેનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું હોવાથી તેઓ પરિવારનું ગુજરાન ચલાવવા કેટરિંગમાં મજૂરીકામ કરતા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. માતાના અચાનક નિધનથી સંત