Friday, Mar 27, 2026

ગાંધીનગરમાં ભવ્ય શિષ્યવૃત્તિ વિતરણ: 13.96 લાખ વિદ્યાર્થીઓને રાજ્ય સરકારનો મોટો લાભ

2 Min Read

ગાંધીનગર ખાતે રાજ્યના ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી વિદ્યાર્થીઓને વિશાળ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્‍મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ 13.96 લાખ વિદ્યાર્થીઓને રૂ.

શિક્ષણ મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા બે વર્ષમાં 18.8 ટકા વધારો નોંધાયો છે અને શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ થઈ રહી છે. સાથે જ સરકાર દ્વારા શિક્ષકોની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વિદ્યાર્થીઓને સંબોધતા મોબાઈલ અને ટેલિવિઝનના મર્યાદિત ઉપયોગ પર ભાર મુક્યો હતો.

તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ વાંચન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0) હેઠળ પસંદ થયેલા ઇનોવેશન આઈડિયાઓને પણ ગ્રાન્ટ આપવામાં આવી. રાજ્યમાં હાલમાં 735 સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે અને લગભગ 1400 વિદ્યાર્થીઓ તેમાં જોડાયેલા છે. મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીના શિક્ષણ ક્ષેત્રે યોગદાનની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ જેવા પ્રયાસોથી ડ્રોપઆઉટ દર ઘટ્યો છે. રાજ્યમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્‍મી યોજના હેઠળ રૂ. 50,000 અને નમો સરસ્વતી યોજના હેઠળ રૂ. 25,000ની સહાય આપવામાં આવે છે, જેના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

આજે 354 કરોડની શિષ્યવૃત્તિનો કાર્યકમ યોજાયો છે. અહીં કેટલી શાળાના વિદ્યાર્થીઓ છે. ચાર શાળાના વિદ્યાર્થીઓ છે વિધાર્થીઓ બહુ સાંભળવું ગમે નહિં. ભણતા ભણતા કહી સાંભળે નહિં. માતા પિતા કહે તો સાંભળે નહિં. ટેલીવિઝન અને સોશિયલ મીડિયા રસ છે. વિદ્યાર્થીઓ ટીવી જોવું અને મોબાઈલ વાપરવા સમય વાપરવો નક્કી કરો.મોબાઈલમાં પરોવાઈ જાય તો કેટલો જાય એ ખબર નથી પડતી. વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઇએ કે મોબાઇલ અને ટીવીમાં તમારે હાલ જરૂર નથી વાપરવાની.મોબાઈલ વાપરવા માટે સમય નક્કી કરો જીવનમાં ફાયદો થશે. AIનો જમાનો છે એટલે ગમે તેમ કરીને પરીક્ષામાં પાસ થવું એના પર ફોકસ હોવું. બાળકોને શાળામાં સારું એજ્યુકેશન મળી રહ્યું છે.ઉચ્ચ શિક્ષણ નીતિથી માતુ ભાષામાં અભ્યાસ મળી રહ્યો છે.

Share This Article