HomeNationalવોશિંગ્ટન ડીસીમાં ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓના મોત

વોશિંગ્ટન ડીસીમાં ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓના મોત

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

વોશિંગ્ટન ડીસીમાં ગોળીબારમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓના મોત થયા છે. વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલય નજીક થયેલા ગોળીબારમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓ માર્યા ગયા હોવાનું હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીએ જણાવ્યું હતું. યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ અને ડીસીના કાર્યકારી યુએસ એટર્ની જીનીન પિરો કેપિટોલ યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબારના સ્થળે પહોંચી ગયા છે.

અહેવાલ મુજબ આ હુમલો કેપિટોલ યહૂદી સંગ્રહાલય પાસે થયો હતો. ઇઝરાયલી અધિકારીઓ આ હુમલાને “યહૂદી વિરોધી આતંકવાદનું ઘૃણાસ્પદ કૃત્ય” ગણાવી રહ્યા છે. આ હુમલાને કારણે ઇઝરાયેલના રાજદ્વારીઓ અને શહેરમાં વસતા યહૂદી સમુદાયોમાં ડરનો માહોલ છે.

પોલીસે કાર્યવાહી શરુ કરી:
યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ હુમલાની પુષ્ટિ કરી છે. ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું, “આજે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક બે ઇઝરાયલી દૂતાવાસના કર્મચારીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

Subscribe

Latest stories

spot_img