Thursday, Mar 26, 2026

છત્તીસગઢના નારાયણપુર-બીજાપુરમાં 26 થી વધુ નક્સલીઓ માર્યા ગયા

2 Min Read

ભારતને નક્સલ મુક્ત બનાવવા માટે ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી. છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ જણાવ્યું હતું કે નક્સલ પ્રભાવિત નારાયણપુર-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 26 થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. માહિતી અનુસાર, સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે અને આ સંખ્યા વધુ વધી શકે છે.

બુધવારે સવારે પોલીસે માહિતી આપી હતી કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં થઈ રહ્યું છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) નારાયણપુર, DRG દાંતેવાડા, DRG બીજાપુર અને DRG કોંડાગાંવની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. શોધખોળ દરમિયાન શરૂ થયેલા એન્કાઉન્ટરમાં મોટી સંખ્યામાં નક્સલીઓ માર્યા ગયા.

AK-47, અન્ય ભારે શસ્ત્રો જપ્ત
અબુઝમાડના જાટલૂર વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી AK-47, ઈન્સાસ રાઈફલ્સ, અન્ય ઓટોમેટિક શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસે ઠાર કરેલા નક્સલવાદીઓનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે જણાવ્યા પ્રમાણે, માડ ડિવિઝનના મોટા કેડરને નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં ડીઆરજી નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવના અબૂઝમાડમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં 30 નક્સલવાદી માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ આંકડો વધવાની શક્યતા છે.

Share This Article