Thursday, Mar 26, 2026

જમ્મુના સાંબા સેક્ટરમાં BSFએ સાત આતંકવાદીઓને ઠાર માર્યા

1 Min Read

શુક્રવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સે જણાવ્યું હતું કે તેણે જમ્મુમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત આતંકવાદીઓને ઠાર માર્યા છે, અને એક રેન્જર્સ ચોકીનો પણ નાશ કર્યો છે. સર્વેલન્સ ગ્રીડ દ્વારા આતંકવાદીઓના “મોટા જૂથ” ને શોધી કાઢવામાં આવ્યા બાદ 8-9 મેની રાત્રે સાંબા સેક્ટરમાં આ ઘટના બની હતી.

નિયંત્રણ રેખાની આસપાસના વિસ્તારોમાં લોકોએ આખી રાત વિસ્ફોટોના અવાજો સાંભળ્યા. પંજાબ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. પંજાબમાં અમૃતસર, જલંધર, ગુરદાસપુર, તરનતારન, હોશિયારપુર, પઠાણકોટ, ફિરોઝપુર, ફાઝિલ્કા અને ચંદીગઢમાં જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હરિયાણાના મોહાલી અને પડોશી પંચકુલામાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું. કુપવાડા, પૂંછ, રાજૌરી અને બારામુલા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ ભારતે જોરદાર જવાબ આપ્યો.

સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે 7-8 મે 2025 ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

Share This Article