તેલંગાણાના મુલુગુ જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. છત્તીસગઢના સુકમા બોર્ડર નજીક આવેલા વિસ્તારમાં IED વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ પોલીસને ટાર્ગેટ બનાવી આ હુમલો કર્યો હતો.
નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED હુમલામાં તેલંગાણાના ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. પોલીસ રૂટિન કોમ્બિંગ કરી રહી હતી. તે દરમિયાન નક્સલવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. અગાઉ 7 મેના રોજ છત્તીસગઢ-તેલંગાણા સરહદના બીજાપુર જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 22થી વધુ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા.