Saturday, Mar 14, 2026

તેલંગાણામાં નક્સલીઓ સાથે અથડામણ, ત્રણ પોલીસકર્મી શહીદ

1 Min Read

તેલંગાણાના મુલુગુ જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. છત્તીસગઢના સુકમા બોર્ડર નજીક આવેલા વિસ્તારમાં IED વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ પોલીસને ટાર્ગેટ બનાવી આ હુમલો કર્યો હતો.

નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED હુમલામાં તેલંગાણાના ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. પોલીસ રૂટિન કોમ્બિંગ કરી રહી હતી. તે દરમિયાન નક્સલવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. અગાઉ 7 મેના રોજ છત્તીસગઢ-તેલંગાણા સરહદના બીજાપુર જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 22થી વધુ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા.

Share This Article