Friday, May 15, 2026

ચાર દિવસમાં 537 પાકિસ્તાની નાગરિકોએ ભારત છોડ્યું

1 Min Read

ભારત સરકારે દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને કડક ચેતવણી આપી છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ આ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર, સાર્ક વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ 28 એપ્રિલ સુધીમાં ભારત છોડવું જરૂરી છે, જ્યારે મેડિકલ વિઝા ધરાવનારાઓએ 29 એપ્રિલ સુધીમાં ભારત છોડવું પડશે.

25 થી 27 એપ્રિલની વચ્ચે, 537 પાકિસ્તાની નાગરિકો અટારી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડ્યા હતા, જ્યારે તે જ સમયગાળા દરમિયાન 744 ભારતીય નાગરિકો પાકિસ્તાનથી વાઘા મારફતે પરત ફર્યા હતા. પહેલગામ આતંકી હુમલાની પ્રારંભિક તપાસ બાદ શરૂ કરવામાં આવેલા રાજદ્વારી હુમલાના ભાગરૂપે ભારતે 24 એપ્રિલે પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા રદ કર્યા હતા. આમાં રાજદ્વારી અને સત્તાવાર વિઝા અને લાંબા ગાળાના વિઝાનો સમાવેશ થતો નથી.

Share This Article