HomeNationalપહેલગામ આતંકી હુમલાના જવાબમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી સામે આવી છે. પહેલગામ હુમલામાં સામેલ આતંકીઓ સામે પીએમ નરેન્દ્ર મોદીએ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું, જેને પગલે સુરક્ષા એજન્સીઓએ વ્યાપક અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાન અંતર્ગત ટ્રાલ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકી આસિફના ઘરે પહોંચી હતી. માહિતી અનુસાર, તેના ઘરમાં વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો હતો જેમાં જબરદસ્ત વિસ્ફોટ થયો. બીજી તરફ, આતંકી આદિલના ઘરની સામે પણ કડક પગલાં લેતા જમ્મુ-કાશ્મીર પોલીસે બુલડોઝર ચલાવી તેનું ઘર નષ્ટ કર્યું હતું. નોંધનીય છે કે પહેલગામ હુમલાના બાદ આતંકીઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ સુરક્ષા દળોને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હતા.

સુરક્ષા દળો દ્વારા ટ્રાલમાં જેમાં કાર્યવાહી કરવામાં આવી તે બંને આતંકીઓ લશ્કર-એ-તૈબા સાથે સંકળાયેલા છે. 22 એપ્રિલે બૈસરન વેલીમાં થયેલા આતંકી હુમલાથી જોડાયેલા વીડિયોમાં બંને આતંકી દેખાતા હતા. આસિફ અને આદિલ સહિત અન્ય દહેશતગર્દોને ઠાર કરવા માટે વિશેષ અભિયાન ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોની પૂછપરછ કરી છે અને ઘણા લોકોને હિરાસતમાં લીધા છે. પહેલગામ હુમલામાં કુલ 26 લોકોના મૃત્યુ થયા હતા જેમાં અનંતનાગના રહેવાસી આદિલ શાહ સિવાય બધી જ હિન્દુઓ હતા. ગુરુવારે મોટા ભાગના મૃતકોને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

NIAની તપાસ, સેનાએ સંભાળ્યો મોરચો
પહેલગામની બૈસરન વેલીમાં ધર્મ પૂછીને લોકોને ગોળી મારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને એક તરફ NIA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ દહેશતગર્દોની શોધખોળમાં લાગી ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હુમલામાં સામેલ તમામ આતંકીઓ હજી પણ આજુબાજુના વિસ્તારમાં છુપાઈને બેઠા છે.

Subscribe

Latest stories

spot_img