HomeNationalજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો હુમલો, પ્રવાસીને ગોળી મારી, બે ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો હુમલો, પ્રવાસીને ગોળી મારી, બે ઘાયલ

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

જમ્મુ-કાશ્મીરના અનુસાર પર્વતીય વિસ્તારમાં, ખાસ કરીને પહેલગામની બૈસરન ઘાટીમાં, આજે સવારે પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. પ્રવાસીઓ ટ્રેકિંગ માટે પર્વતના ઉંચા વિસ્તારોમાં ગયેલા હતાં ત્યારે અચાનક છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બે પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ બંનેને સારવાર માટે નજીકના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા તરત જ સુરક્ષા દળોએ સ્થળને ઘેરી લીધો છે અને આસપાસના વિસ્તારમાં તણખલાવાવની કામગીરી શરૂ કરી છે.

સુરક્ષા વ્યવસ્થાની ઉણપ અને ઉંચા વિસ્તારનો પડકાર
જ્યાં હુમલો થયો તે વિસ્તાર પર્વતીય છે અને ત્યાં સુધી પહોંચી શકાય તેવા માર્ગો ખુબ જ મુશ્કેલ છે. આ સ્થળે કોઈ પોલીસ ચૌકી કે સીઆરપીએફની તૈનાતી નહોતી, જેને લીધે આતંકવાદીઓને સહેલાઈથી હુમલો કરવાની તક મળી ગઈ. સ્થાનિક પ્રશાસને આ ઘટનાને ગંભીરતાથી લેતાં હવે આ પ્રકારના પ્રવાસી સ્થળોએ વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારી શરૂ કરી છે. પ્રવાસીઓ અને ટ્રેકર્સ માટે વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવાની પણ શક્યતા છે જેથી આવા હુમલાના જોખમથી બચી શકાય.

ભારે વરસાદથી કાશ્મીરમાં સમસ્યા વિકરાળ બની
એક તરફ આતંકી હુમલાઓની આશંકા છે, તો બીજી તરફ કાશ્મીરમાં ચાલુ વરસાદને પગલે ભૂસ્ખલન અને રાષ્ટ્રમાર્ગો બંધ થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવેને ભૂસ્ખલનના કારણે બંધ કરવો પડ્યો છે. રામબન અને બનિહાલ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને કેટલાય પરિવારો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સલામતીના દૃષ્ટિકોણે અત્યંત સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

Subscribe

Latest stories