HomeNationalભાગેડુ મેહુલ ચોક્સીની 2,500 કરોડની સંપત્તિની થશે હરાજી, મુંબઈ કોર્ટે આપી મંજૂરી

ભાગેડુ મેહુલ ચોક્સીની 2,500 કરોડની સંપત્તિની થશે હરાજી, મુંબઈ કોર્ટે આપી મંજૂરી

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ભારતમાંથી ભાગી ગયેલા હીરા વેપારી મેહુલ ચોક્સીની મિલકતોની હરાજી માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુંબઈની એક ખાસ કોર્ટે મેહુલ ચોક્સીની કુલ 2,565 કરોડ રૂપિયાની મિલકત વેચવા મંજૂરી આપી છે. કોર્ટે જણાવ્યુ કે હરાજીથી મળનારી રકમ પીડિત બેંકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે સંગ્રહિત કરવામાં આવશે જેથી ભોગ બનનારાઓને વળતર મળી શકે.

ED દ્વારા 2018માં હાથ ધરવામાં આવેલી તપાસમાં, ચોક્સી અને તેના જૂથની કરોડોની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ મિલકતોમાં મુંબઈના સાંતાક્રુઝ સ્થિત છ ફ્લેટ, બે ફેક્ટરીઓ અને એક વેરહાઉસ સહિત વિવિધ શહેરોમાં આવેલી અસમ્પત્તિઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં હરાજી થતી મિલકતોમાંથી પીડિતોને 125 કરોડ જેટલી રકમ પરત આપવામાં આવી છે.

હૈદરાબાદ, કોલકાતા, નાસિક, નાગપુર અને અલિબાગ જેવી જગ્યાઓ પર ચોક્સીની જમીન અને અન્ય મિલકતો પણ જપ્ત કરાઈ છે. EDના જણાવ્યા મુજબ હૈદરાબાદમાં ચોક્સીનું 170 એકરનું પાર્ક છે જેની અંદાજીત કિંમત 500 કરોડ છે. SEEPZ ઝોનમાં આવેલી ફેક્ટરીઓ અને મલબાર હિલનો ડુપ્લેક્સ ફ્લેટ પણ હવે હરાજી માટે તૈયાર છે.

ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર PNB માં 13,000 કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડી કરવાનો આરોપ છે. મલબાર હિલનો ફ્લેટ, જેને ED, BMC અને અનેક એજન્સીઓ દ્વારા નોટિસ આપી ચુકવામાં આવી છે, હાલ ખંડેર બની ચૂક્યો છે. આ ફ્લેટના દિમકાળમાં વૃક્ષો ઉગી નીકળ્યાં છે અને સોસાયટીના માળખાને નુકસાન પહોંચાડ્યું છે.

Subscribe

Latest stories

spot_img