Thursday, Oct 23, 2025

શિરડીથી સુરત તરફ જતી ખાનગી બસ પલટી, 30 મુસાફરો ગંભીર ઇજાગ્રસ્ત

2 Min Read

ગુજરાતના મુસાફરોને 24 કલાકમાં બે મોટા અકસ્માત નડ્યા છે. વલસાડ જિલ્લાની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબા મંદિરથી સુરત આવતી સદગુરૂ શિવમ નામની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટ પર બસ પલટી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર સહિત 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટના ઢાળ પર બસની બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે બસને પલટાવી દીધી હતી. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક તેઓ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો, રાહદારીઓ, કપરાડા પોલીસની ટીમ અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સની ટીમની મદદથી તમામ ઈજાગ્રસ્તોને કપરાડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી તેમને ધરમપુર સ્ટેટ અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વલસાડના પ્રવાસીઓ મહારાષ્ટ્રના નાસિક તરફ જઈ રહ્યા હતા. ત્યારે કપરાડાના કુંભ ઘાટ નજીક ઢોળાવ વાળા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. બસ ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હોય તે રીતે બસ ઢોળાવ વાળા વળાંકમાં પલટી મારી ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરો પૈકી 14ને ઇજાઓ પહોંચી હતી.

તાપી જિલ્લાની બોર્ડર પર શ્રીનાથ કંપનીની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. એક ખાનગી બસ મહારાષ્ટ્રથી સુરત જઈ રહી હતી, તે સમયે મોડી રાત્રે સોનગઢ તાલુકાના સિનોદ ગામની સીમમાં બસચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 18 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

આ પણ વાંચો :-

Share This Article