Sunday, Sep 14, 2025

મુંબઈથી લખનૌ જતી ફ્લાઈટમાં હંગામો, જાણો પેસેન્જરે કહ્યું?

1 Min Read

મુંબઈથી લખનૌ જતી ઇન્ડિગોની ફ્લાઈટમાં હોબાળો મચી ગયો હતો જ્યારે ૨૭ વર્ષીય પેસેન્જરે કહ્યું કે, તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે. પેસેન્જરે આ વાત કરતા જ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ અને ફ્લાઈટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ ફ્લાઈટની તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ તે જાણવા મળ્યું હતું કે, ફ્લાઇટમાં કોઈ બોમ્બ છે જ નહીં. જેથી મુંબઈ પોલીસ આ પેસેન્જરની અટકાયત કરી કેસ નોંધ્યો છે.

આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ફ્લાઈટનો ફ્લાઈંગ ટાઈમ બદલાઈ ગયો હતો અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મુંબઈથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર ૬E ૫૨૬૪માં બેઠેલા એક મુસાફરે આ વાત કહી હતી.

એરપોર્ટ પોલીસે મુસાફર અયુબની અટકાયત કરી અને તેની સામે IPCની કલમ ૫૦૬(૨) અને ૫૦૫(૧)(B) હેઠળ કેસ નોંધ્યો. પોલીસે કહ્યું કે તેઓ આ એંગલથી તપાસ કરી રહ્યા છે કે મુસાફરે આવું કેમ કર્યું.

આ પણ વાંચો :-

Share This Article