HomeNational૮ મહિના બાદ ખોલવામાં આવ્યું દેવનારાયણ મંદિરનું દાનપાત્ર, પીએમ મોદીના કવરમાંથી નીકળ્યા...

૮ મહિના બાદ ખોલવામાં આવ્યું દેવનારાયણ મંદિરનું દાનપાત્ર, પીએમ મોદીના કવરમાંથી નીકળ્યા માત્ર આટલા રૂપિયા

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img
  • ગુર્જર સમુદાયના આરાધ્ય શ્રી દેવનારાયણના ૧૧૧૧માં અવતરણ દિવસ પર ભગવાનના દર્શન કરવા માટે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના દાનપાત્રમાં એક બંધ કવર ભેટ કર્યું હતું.

ગુર્જર સમુદાયના આરાધ્ય શ્રી દેવનારાયણના ૧૧૧૧માં અવતરણ દિવસ પર ભગવાનના દર્શન કરવા માટે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના દાનપાત્રમાં એક બંધ કવર ભેટ કર્યું હતું. જેને લઈને છેલ્લા 8 મહિનાથી ગુર્જર સમુદાયમાં વ્યાકુળતા હતી અને લોકોના મનમાં ઉત્સુકતા હતી તથા બંધ કવરના રહસ્યને લઈને એવી અટકળ હતી કે જે પ્રકારને પીએમ મોદીએ પોતાના ભાષણમાં ગુર્જરોના આરાધ્ય ભગવાન દેવનારાયણ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રગટ કરી. તે જોતા પીએમ મોદી દ્વારા દાનપત્રમાં નાખવામાં આવેલા કવરમાં કોઈ મોટી રકમ કે મંદિરના વિકાસ માટે કોઈ મોટા સહયોગનો પ્લાન પીએમ મોદી તરફથી હોઈ શકે છે.

આ આશા અને વિશ્વાસમાં ગુર્જર સમુદાય દાનપાત્ર ખોલવાની તિથિનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ખુબ રાજ જોતા અને અરમાનો ભરેલી એ ઘડી પણ આવી ગઈ અને ૨૫ સપ્ટેમ્બરે દાનપાત્ર ખોલવામાં આવ્યું. મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા ટ્રસ્ટીઓએ જ્યારે ખુબ ઉત્સાહથી આ દાનપત્રમાં નાખવામાં આવેલા કવરને જાહેરમાં ખોલ્યું તો તેમાંથી માત્ર ૨૧ રૂપિયા નીકળ્યા. કવરની અંતરથી જ્યારે ૨૦ રૂપિયાની નોટ અને એક રૂપિયાનો એક સિક્કો નીકળ્યો તો કોઈ શાયરની એ પંક્તિઓ યાદ આવી ગઈ કે….” ખુબ શોર સુનતે થે પહલુ એ દિલ કા….જો ચીરા તો કતરા એ ખૂન નીકલા.”

પીએમ મોદીના કવરમાંથી નીકળેલા ૨૧ રૂપિયાના દાનના રહસ્યને હજુ સુધી કોઈ સમજી શકતા નથી કે દેશના સૌથી મોટા શક્તિશાળી રાજનેતા અને ભારતના પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને જ્યાં કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દેવાયા અને મોદીને સાંભળવા માટે ભીલવાડા જ નહીં પરંતુ દેશભરથી ગુર્જર સમુદાયના લાખો લોકો ભેગા થયા તો પીએમ મોદીએ દેવડુંગરી કોરિડોરની જાહેરાત કેમ ન કરી અને કવરમાં માત્ર ૨૧ રૂપિયા મૂકીને શું સંદેશો આપ્યો. આથી હવે નિસાસા નાખીને આયોજક એમ કહી રહ્યા છે કે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર…અમે શું કરીએ.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img