HomeEntertainmentરાતોરાત ખુલી ગઈ આ એન્જિનિયર યુવકની કિસ્મત, મળી ઐશ્વર્યાની ફિલ્મ 'પોનીયિન સેલ્વન...

રાતોરાત ખુલી ગઈ આ એન્જિનિયર યુવકની કિસ્મત, મળી ઐશ્વર્યાની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img
 young engineer Aishwarya
  • દિવ્ય પ્રકાશ દુબે એક ભારતીય હિન્દી લેખક છે. દિવ્યના નસીબમાં જ્યારે તેને વિક્રમ અને ઐશ્વર્યા અભિનીત મણિરત્નમની ફિલ્મ ‘પીએસ-1’ અને ‘પીએસ-2’ મળી ત્યારે તેનું નસીબ ચમકયું

દિવ્ય પ્રકાશ દુબે (Divya Prakash Dube) હરદોઈ, શાહજહાંપુર, ગાઝિયાબાદ, લખનઉ અને વારાણસી જેવા શહેરોમાં ઉછર્યા હતા. કોલેજ ઓફ એન્જિનિયરિંગ રૂડકીથી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં (Computer Science Engineering) ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેમણે સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ પુણેમાંથી એમબીએ કર્યું. તેને એક મોટી કંપનીમાં નોકરી પણ મળી ગઈ અને તે જ સમયે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. જે પછીથી પ્રકાશિત પણ થઈ.

આ સમયે દિવ્યને લેખનમાં સૌથી મોટી સફળતા ત્યારે મળી જ્યારે તેણીને વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન-1‘ અને ‘પોનીયિન સેલવાન-2’ મળી. તાજેતરમાં મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે એન્જિનિયરિંગથી રાઈટર અને પછી સ્ક્રિપ્ટ રાઈટર સુધીની તેની સફર વિશે વાત કરી.

દિવ્યએ કહ્યું કે છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધી બધું જ સપના જેવું લાગે છે. તેણે કહ્યું કે મણિરત્નમની ફિલ્મો માટે લખવું તેની ક્ષમતાની બહારનું હતું. પરંતુ આજે આ બધું શક્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે તેણે પીએસ 1 અને 2 માટે હિન્દી ડાયલોગ્સ લખ્યા છે. જેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે.

તેણે એમ પણ કહ્યું કે હું એક એન્જિનિયરિંગનો માણસ છું. જ્યારે મારી પાસે સમય હતો ત્યારે હું શનિવાર અને રવિવારે લખતો હતો. પછી જ્યારે મારા પુસ્તકો પ્રકાશિત થવા લાગ્યા ત્યારે મને થોડી ઓળખ મળી અને પુસ્તકોને કારણે મને પીએસ 1 અને 2 પણ મળ્યો. તેણે કહ્યું કે તે એક લિટરેચર ફેસ્ટમાં ફિલ્મ ‘ગુરુ’ લખનાર વિજય કૃષ્ણ આચાર્યને મળ્યો અને તેનો નંબર લીધો. પરંતુ દિવ્ય તેનો નંબર લઈ શક્યો નહીં.

એક દિવસ દિવ્યને વિજયનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, તમે એક ફિલ્મ માટે લખો ઘણા સારા લોકો છે, મારી પાસે સમય નથી નહીંતર મેં લખી નાખ્યું હોત. ત્યાં સુધી દિવ્યને કહેવામાં આવ્યું ન હતું કે તે મણિરત્નમની ફિલ્મ છે.

તેને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે, ‘ચેન્નઈ સે કોલ આયેગા…’ આવુ થયું અને આ રીતે તેને ફિલ્મ મળી. PS-2એ તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી લીધો છે અને મીડિયા અહેવાલનું માનીએ તો 4 દિવસમાં જ ફિલ્મે ૪૦૦ કરોડનું કલેક્શન કરી લીધું છે.

આ પણ વાંચો :-

 

 

Subscribe

Latest stories

spot_img