HomeNational17 વર્ષીય કિશોરી બની દેશની સૌથી નાની ઉંમરની અંગદાતા, પિતાને કર્યું લીવરદાન

17 વર્ષીય કિશોરી બની દેશની સૌથી નાની ઉંમરની અંગદાતા, પિતાને કર્યું લીવરદાન

Date:

Related stories

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal)...

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...
spot_img

17-year-old girl becomes country’s youngest organ

  • 17 વર્ષીય આ દીકરીએ પોતાની ખોરાકીમાં બદલાવ કરી અને નિયમિત વ્યાયામ કરીને સુનિશ્ચિત કરાવ્યું કે તેનું લિવર પિતાને દાન કરવા માટે સૌથી સારી સ્થિતિમાં છે.

કેરળની (Kerala) 17 વર્ષીય છોકરીએ પોતાના પિતાને પોતાના લીવરનો એક ભાગ ડોનેટ કર્યો. આ ડોનેશન બાદ તે દેશની સૌથી ઓછી ઉંમરની અંગદાતા બની ગઈ છે. 12માં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા દેવાનંદે (Chhatra Devanande) આ દાન માટે ખાસ કેરળનાં (Kerala) ઉચ્ચ ન્યાયાલયમાંથી છૂટ માગી કારણકે દેશનાં કાયદાનુસાર નાબાલિગોને (Minors) અંગદાન કરવાની અનૂમતિ નથી. કોર્ટની મંજૂરી મળ્યાં બાદ દેવાનંદે 9 ફેબ્રુઆરીનાં રોજ પોતાના બિમાર પિતાને બચાવવા માટે પોતાના લીવરનો હિસ્સો દાન કર્યો.

48 વર્ષીય પિતાને દિકરીએ આપ્યું જીવનદાન :

48 વર્ષનાં પ્રતીશ ત્રિશૂરમાં એક કેફે ચલાવે છે. દેવાનંદે ખાસ પોતાનામાં ફેરફારો કર્યાં અને નિયમિત વ્યાયામની સાથે એક સ્થાનિય જીમ પણ જોઈન કર્યું જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેનું લીવર દાન માટે સૌથી સારી કન્ડીશનમાં છે. સર્જરી અલુવાની રાજગીરિ હોસ્પિટલમાં કરવામાં આવી. દેવાનંદની વીરતાને જોઈને હોસ્પિટલે સર્જરીનાં તમામ ખર્ચાઓને પણ માફ કરી દીધાં.

પિતાનાં જીવનમાં આવ્યો બદલાવ :

એક સપ્તાહ હોસ્પિટલમાં રહ્યાં બાદ દેવાનંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેનું કહેવું છે કે તે ગર્વ-ખુશ અને રાહતનો અનુભવ કરી રહી છે. પ્રતીશનું જીવન એકાએક બદલાઈ ગયું જ્યારે ખબર પડી કે તેને લીવરની બીમારીની સાથે-સાથે Cancerous Lesion પણ છે. પરિવારને જરૂરી ડોનર ન મળવાને કારણે બાદમાં દેવાનંદે પોતાના લીવરનો એક હિસ્સો પોતાના પિતાને દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

હાઈકોર્ટે આપી મંજૂરી :

માનવ અંગ પ્રત્યારોપણ અધિનિયમ 1994 અનુસાર નાબાલિગને અંગ દાનની અનૂમતિ આપવામાં આવતી નથી. દેવાનંદે તમામ સંભાવનાઓની જાણકારી મેળવી અને ઉચ્ચ ન્યાયાલયનાં દ્વાર ખટખટાવ્યાં. મોટી વાત તો એ છે કે આ ઉચ્ચ ન્યાયાલયે આ પ્રકારનાં મામલામાં એક નાબાલિગ બાળકીને અંગદાન કરવાની અનૂમતિ આપી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img