HomeGujaratશું ગુજરાતમાં ત્રીજા પક્ષની એન્ટ્રી ભાજપના આ ગઢને હલબલાવી મૂકશે ? 12...

શું ગુજરાતમાં ત્રીજા પક્ષની એન્ટ્રી ભાજપના આ ગઢને હલબલાવી મૂકશે ? 12 સીટો પર ખેલાઇ શકે છે મોટો રાજકીય દાવ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

Will the entry of a third party in Gujarat shake

  • ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપનો ગઢ કહેવાતી સુરતની બેઠક પર “દિલ્હી મોડલ”ની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે સુરતની 12 સીટો પર રાજકીય દાવ ખેલાઈ શકે છે.

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે 182 બેઠકોને લઇને ત્રિપાંખિયો જંગ જામશે. એવામાં તમામ રાજકીય પક્ષો (Political parties) દ્વારા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટેના રાજકીય દાવ અપનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં સુરત એક એવો જિલ્લો છે કે જેની 12 બેઠકોને લઈને રાજકારણ ગરમાઈ શકે છે.

ગુજરાતમાં ત્રીજા પક્ષની એન્ટ્રીથી સુરતની 12 સીટો પર જામશે ત્રિપાંખિયો જંગ :

તમને જણાવી દઈએ કે સુરતમાં 12 વિધાનસભા બેઠકો આવે છે. કોંગ્રેસ અને ભાજપ અહીંયા વર્ષોથી પોતાનો રાજકીય ખેલ અપનાવી રહી છે. પરંતુ આ વખતે મુકાબલો વધારે રોમાંચક થવા જઇ રહ્યો છે. કારણ કે આ વખતે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે AAPની એન્ટ્રી થઈ છે. જેના પડઘા છેક ભાજપની કબ્જાવાળી 12 સીટો પર પણ દેખાઇ રહ્યાં છે.

જોકે સુરતની 12 વિધાનસભા સીટો પરની સ્થિતિ શું હશે તે તો 8 ડિસેમ્બરના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે. પરંતુ વર્ષ 2021માં મ્યુનિસિપલ ચૂંટણી જીતીને સુરતમાં AAPએ એન્ટ્રી તો કરી લીધી હતી. એ દરમ્યાન પાર્ટીના 27 પાર્ષદોએ જીત હાંસલ કરી હતી. જોકે થોડાક સમય બાદ તેમાંથી 5 પાર્ષદોએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. મહત્વનું છે કે આ વખતે રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાવા જઇ રહ્યું છે.

આ વખતની ચૂંટણીમાં AAPએ મોટા પાટીદાર ચહેરાઓને મોકો આપ્યો :

આ વખતની ચૂંટણીમાં AAPએ 12 વિધાનસભા બેઠકો પર મોટા પાટીદાર ચહેરાઓને મોકો આપ્યો છે. જેમાંથી વરાછા બેઠક પરથી અલ્પેશ કથીરિયા, ઓલપાડથી ધાર્મિક માલવિયા અને કતારગામથી ગોપાલ ઇટાલિયાનું નામ સામેલ છે કે જેઓ આ વખતે ચૂંટણી લડશે. એમાંય વળી ગોપાલ ઈટાલિયા પાસે તો AAPની કમાન પણ છે. આ સાથે પ્રચાર અભિયાન દરમ્યાન પણ પાર્ટીના પ્રમુખ ચહેરા તરીકે પણ તેઓ સામે આવી ચૂક્યાં છે.

આ સિવાય AAPએ ઈસુદાન ગઢવીને પણ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઈસુદાન ગઢવીને પણ AAPએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઇસુદાન ગઢવી કે જેઓ AAPના CM પદના કેન્ડીડેટ છે. તેઓ જામખંભાળિયાથી ચૂંટણી લડશે. તથા દ્વારકા બેઠક પરથી નકુમ લખમણભાઇ બોઘાભાઈને ટિકિટ અપાઈ છે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img