ઉત્તર પ્રદેશમાં ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકો મૃત્યુ નિપજ્યા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બોલેરોમાં 11 મુસાફરો સવાર હતા જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા.
કન્નૌજ જિલ્લાના સકરાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ 141 પર ઔરૈયા બોર્ડર પાસે આ Accident થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યુપીના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ ઘાયલોની મદદ માટે રોકાયા હતા. તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. હાલ અકસ્માત બાદ ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ અને તિરવા મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂલ સ્પીડે જતી બસ કાબુ બહાર જઈને ટ્રક સાથે અથડાઈ અને પલટી ગઈ. અકસ્માતને પગલે બસના મુસાફરોમાં બુમરાણ મચી ગઈ હતી. નજીકમાં હાજર લોકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા. માહિતી મળ્યા બાદ યુપેડાની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેને બચાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા.
આ પણ વાંચો :-