કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગણપતિ ઉત્સવને લઇને 342 સ્પેશિયલ ટેનો ચલાવવાની જાહેરાત કરી છે. ભારતીય રેલવે આવતા મહિને 7મી સપ્ટેમ્બરથી રાઢ થતા ગણપતિ ઉત્સવના અવસર પર આ વિરોષ ટ્રેનોનું સંચાલન કરો મહત્વનું છે કે ગણશોત્સવને લઈને મુંબઈથી કૉકણ જનારા ભકત્તો વધારે હોય છે. જેના કારણે વધારાની ટ્રેન સેવાની જરૂર પડે છે. શરૂઆતમાં 300 વધારાની ટ્રેનોની માંગ હતી પરંતુ હવે ભીડને જોતા રેલ્વેએ આ ટેનોની સંખ્યા વધારીને 342 કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે ગણેશ ઉત્સવના અવસર પર ચલાવવામાં આવનારી આ વિશેષ ટ્રેનોની જાહેરાત મુંબઈના બાંદ્રા ટર્મિનલથી ગોવાના મડગાંવ સુધી ચાલતી નવી દ્વિ-સાપ્તાહિક ટ્રેન સેવાના પ્રારંભ દરમિયાન કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને સ્થાનિક સાંસદ પિયૂપ ગોયલ પણ હાજર હતા. આ નવી દ્વિ-સાપ્તાહિક સેવા મુંબઈના પશ્ચિમી ઉપનગરો અને કોંકણ ક્ષેત્ર વચ્ચે કનેક્ટિવિટી સુધારશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મહારાષ્ટ્રના રેલ્વે નેટવર્ક માટે 2024-25નું બજેટ વધારીને 15,940 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે 2014માં તે માત્ર 1.71 કરોડ રૂપિયા હતું. છેલ્લા દાયકામાં, રાજ્યમાં 1830 કિલોમીટરના નવા ટ્રેક નાખવામાં આવ્યા છે, જે શ્રીલંકાના કુલ રેલ્વે નેટવર્ક કરતાં વધુ છે.. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT) અને 318 રેલવે ક્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ મહારાષ્ટ્રના રેલ માળખાને વધુ વેગ આપશે.
મહારાષ્ટ્રના રેલવે નેટવર્ક અંગે વાત કરતા રેલવે પ્રધાને કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મહારાષ્ટ્રમાં 1,830 કિલોમીટરના રેલવે નેટવર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે શ્રીલંકાના રેલવે નેટવર્ક કરતા પણ વધારે છે. હાલના તબક્કે મહારાષ્ટ્રમાં 81,580 કરોડ રુપિયાના મૂલ્યના 5,877 કિલોમીટરના 41 રેલવે પ્રોજેક્ટને પાર પાડવા માટે કમર કસવામાં આવી રહી છે.
મધ્ય રેલવેના હેરિટેજ રેલવે સ્ટેશન સીએસએમટીને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનના માફક ડેવલપ કરવામાં આવશે. હાલના તબક્કે મહારાષ્ટ્રમાં 5,600 કરોડના રુપિયાના ખર્ચે 318 ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.
આ પણ વાંચો :-