છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૭ નવા કેસ, ૧ લોકોનું મોત

Share this story

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૭ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે.  દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૭ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૫૦,૨૬,૫૪૨ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૭,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૨૫ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦,૬૭,૮૮,૧૪૧ કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૨૦૪ લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૪,૯૧,૮૧૭ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૬૭ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૬૭૪ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૧૦ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૮ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૭,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૨૫ ટકા છે.

આ પણ વાંચો :-