કોંગ્રેસ MSPની કાયદેસર ગેરંટી આપશે, ખેડૂતોને રાહુલ ગાંધીનું સમર્થન

Share this story

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે સેંકડો ખેડૂત સંગઠનોના સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ૨૫ હજારથી વધુ ખેડૂતો દિલ્હીની સરહદોની આસપાસ પહોંચી ગયા છે, જોકે આ દરમિયાન હરિયાણા સરહદે પોલીસ સાથે ખેડૂતોનું ભારે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતો પર ડ્રોનની મદદથી આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો. ત્યારે હવે  ખેડૂતોના આંદોલન વચ્ચે કોંગ્રેસે એક ગેરેંટી આપી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ખેડૂત ભાઈઓ, આજે ઐતિહાસિક દિવસ છે! કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર MSPની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલું ૧૫ કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને તેમના જીવનમાં પરિવર્તન લાવશે. ન્યાયના પથ પર કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે

છત્તીસગઢના અંબિકાપુરમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, તેમને રોકવામાં આવી રહ્યા છે, તેમના પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. તેઓ શું કહે છે? તેઓ માત્ર તેમની મહેનતનું ફળ માંગી રહ્યા છે. ભાજપ સરકારે એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી, પરંતુ તેઓ એમએસ સ્વામીનાથને જે કહ્યું હતું તેનો અમલ કરવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો :-