નીતા અંબાણી બોર્ડમાંથી બહાર, મુકેશ અંબાણીએ નવી પેઢીને સોંપી કમાન

Share this story
  • મુકેશ અંબાણીએ તેમની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નવી પેઢીને પ્રમોટ કરી છે અને અનંત-આકાશ અને ઈશાને નવી જવાબદારીઓ સોંપી છે.

મુકેશ અંબાણીએ સમયનું વહેણ પારખી લીધું છે અને હવે તેમની નવી પેઢીને પ્રમોટ કર્યાં છે. સોમવારે મળેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મોટા એલાન કરાયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. બોર્ડે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી દીધી છે.

નીતા અંબાણી બોર્ડમાંથી બહાર :

નીતા અંબાણી બોર્ડમાંથી બહાર થઈ ગયા છે. જોકે તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે. દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો નોંધાયો છે. કંપનીના શેર મામૂલી ઘટાડા સાથે ૨,૪૬૨.૨૦ રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. અહીં જિયો ફાઈનાન્સના શેરમાં નજીવો વધારો થયો છે અને કંપનીના શેર ૨૧૬ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.

૧૯ સપ્ટેમ્બરે લોન્ચ થશે જિયોનું એર ફાઈબર :

મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. જિયોનું એર ફાઈબર ગણેશ ચતુર્થી એટલે કે ૧૯ સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જિયો એર ફાઈબર ૫જી નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોને વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પૂરી પાડશે.

આ પણ વાંચો :-