Saturday, Sep 13, 2025

શું ગુજરાત સરકાર સરકારી શાળાઓને તાળાં મારી દેશે ? શું સરકારને શિક્ષકોની ભરતી કરવામાં રસ નથી ?

2 Min Read
  • છેલ્લા ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. સરકાર હજી સુધી શિક્ષકોની ભરતી કરતુ નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના આંકડા બહુ ઉંચા છે.

ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે બાળકોનું ભણતર જોખમમાં છે. કારણ કે આંકડો કહે છે કે, રાજ્યની ૧૬૫૭ સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક છે. આવામાં શિક્ષકો જ નથી તો બાળકોને અભ્યાસ કોણ કરાવશે તે સવાલ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૨-૨૩ની સ્થિતિમાં ધોરણ ૦૧ થી ૦૮માં ૧૯ હજાર ૯૬૩ શિક્ષકોની જગ્યા ખાલી છે.

જેના કારણે સંખ્યાબંધ શાળાઓને તાળા લાગ્યા અથવા તો શાળાને મર્જ કરી દેવાની ફરજ પડી. આ સમાચાર તાજેતરમાં આવ્યા છે. ત્યારે આ વચ્ચે વધુ એક સમાચાર એવા છે કે, દિલ્હી-તમિલનાડુ કરતા ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની જગ્યા વધુ ખાલી છે. ૨૦૨૨-૨૩ના આંકડા અનુસાર, ગુજરાતમાં ૧૯,૯૬૩ શિક્ષકની જગ્યા ખાલી છે.

ગુજરાતમાં સતત શિક્ષણ તંત્રની પોલ ખૂલતી રહે છે. સરકાર શિક્ષણ વિભાગમાં સૌથી વધુ બજેટ ફાળવતી હોવા છતા શિક્ષણમાં ધાર્યુ પરિણામ આવતુ નથી. ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળેલું છે. વર્ષ ૨૦૨૨-૨૩ના આંકડા કહે છે કે, ગુજરાતમાં ધોરણ ૦૧ થી ૦૮ સુધીના મંજૂર થયેલી શિક્ષકોની જગ્યા હજી સુધી ભરાઈ નથી. કુલ ૧૯,૯૬૩ જગ્યાઓ ખાલી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. સરકાર હજી સુધી શિક્ષકોની ભરતી કરતુ નથી. તો બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના આંકડા જોઈએ કે કયા રાજ્યમાં કેટલી જગ્યા ખાલી છે તો…

લોકસભા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જે આંકડા અપાયા છે. તેમાં શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યા ખાલી હોય કે મંજૂર કરાયેલી જગ્યા ભરાઈ ન હોય તેમાં ગુજરાત મોખરા પર છે. એટલુ જ નહિ શિક્ષકોની મંજૂર થયેલી જગ્યાઓ પણ છેલ્લા બે વર્ષમાં સીધી ૪૧ હજારની ઘટાડી દેવાઈ છે.

આ પણ વાંચો :-

Share This Article