ખૌફનાક નજારો! સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું
- જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડતા લાલપુરમાં છેલ્લા ૨ કલાકમાં ૨ ઈંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં છે. જામનગર જિલ્લાના લાલપુર, જામજોધપુરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જામજોધપુરમાં છેલ્લા ૨ કલાકમાં ૫ ઈંચ અને દિવસ ભરનો કુલ ૭ ઈંચ વરસાદ વરસ્યો છે.
જામનગરના સિદસરમાં પૂર આવતાં રાજાશાહી વખતનો પુલ તૂટ્યો છે. એટલું જ નહીં સીદસર ખાતે મા ઉમિયા માતાના મંદિરમાં પાણી ઘૂસ્યું છે. લાલપુરમાં અનેક જગ્યાએ વાહનો તણાયાં હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.
જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડતા લાલપુરમાં છેલ્લા ૨ કલાકમાં ૨ ઈંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
જામજોધપુરના સીદસર ગામ પાસે આવેલ ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું છે. બીજી તરફ લાલપુરની ઢાંઢર નદીના પાણી લાલપુર ગામમાં ઘુસ્યા છે. એસટી ડેપો પાસે આવેલ રાધેશ્યામ મંદિરમાં પાણી ફરી વળ્યું છે અને એસટી ડેપો પણ પાણીમાં ગરકાવ થયો છે.
આ પણ વાંચો :-