HomeNationalUP કોંગ્રેસને મળી શકે છે નવા પ્રભારી ! પ્રિયંકા ગાંધી છોડી શકે...

UP કોંગ્રેસને મળી શકે છે નવા પ્રભારી ! પ્રિયંકા ગાંધી છોડી શકે છે પદભાર- સૂત્રોનો દાવો

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

UP Congress can get a new in charge 

  • સૂત્રોનું માનીએ તો રાજ્યમાં નવા પ્રભારીના નામને લઈને પાર્ટીમાં મંથન તેજ થયું છે. જો કે અત્યારે પાર્ટી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતી નથી.

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસમાં (Congress) પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો આગામી ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી યુપી કોંગ્રેસને ટૂંક સમયમાં રાજ્યમાં નવા પ્રભારી મળી શકે છે. એવો દાવો કરવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ઘણા રાજ્યોમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે તેમના પ્રભારી પદનો ત્યાગ કરી શકે છે.

યુપી કોંગ્રેસના પ્રભારીની રેસમાં ઘણા નામ :

જોકે નવા નામોને લઈને પક્ષમાં હજુ પણ મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપી કોંગ્રેસના પ્રભારીની રેસમાં ઘણા નામ છે હરીશ રાવત અને તારિક અનવરનું નામ આ રેસમાં સૌથી આગળ જણાવવામાં આવી રહ્યું છે. તેમને રાજ્યમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે નવા પ્રભારીને પાર્ટીની કમાન સોંપવા પર વિચાર કરી રહી છે.

સૂત્રોનું માનીએ તો રાજ્યમાં નવા પ્રભારીના નામને લઈને પાર્ટીમાં મંથન તેજ થયું છે. જો કે અત્યારે પાર્ટી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતી નથી. પરંતુ જાણકારોનું માનીએ તો રાહુલ ગાંધી વિદેશથી પરત ફર્યા બાદ નવા પ્રભારીના નામ પર નિર્ણય લેવામાં આવી શકે છે. યુપીમાં કોંગ્રેસની નવી કારોબારી સમિતિની પણ જાહેરાત થવાની છે, જેને લઈને અનેક નામોની ચર્ચા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પ્રમુખોને સ્થાન આપવામાં આવી શકે છે.

શું હશે પ્રિયંકા ગાંધીનો રોલ ?

રાજકીય નિષ્ણાતોના મતે કર્ણાટક ચૂંટણી બાદ પાર્ટીમાં સંગઠન સ્તર પર કેટલાક નેતાઓની જવાબદારી વધી શકે છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સૂત્રોનું માનીએ તો કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની ભૂમિકા બદલાઈ જશે.

આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. જો કે કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસે હવે આ રાજ્યોમાં તૈયારીઓ તેજ કરી દીધી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img