ગુજરાતનું 500 વર્ષથી અડીખમ મહાકાય વૃક્ષ ! ડાળ તોડવાની પણ નથી કોઈની હિંમત

Share this story

Giant tree of Gujarat for 500 years

  • અહીં વાત થઈ રહી છે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની. કંથારપુર ગામમાં આવેલું છે મહાકાય મહાકાલી વડ. આ વડ પાસે મહાકાળી માતાજીનું વર્ષો જૂનું પૌરાણિક મંદિર પણ આવેલું છે. એના પરથી જ કંથારપુરના આ વડનું નામ મહાકાળી વડ પડી ગયું છે.

વૃક્ષો કાપી કાપીને રસ્તા પહોળા કરવામાં આવી રહ્યાં છે. જંગલની (Forest) જમીનોને સમતલ બનાવીને ત્યાં રહેણાંક અને કોમર્શિલ બાંધકામો થઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં પણ છેલ્લાં 5 સદીથી એટલે કે છેલ્લાં 500 વર્ષોથી એક ઝાડ અડીગમ ઊભું છે. અને મજાલ છે કે કોઈ એની એક ડાળ પણ તોડી જાય.

આ ઝાડ તો પ્રધાનમંત્રી મોદીનું અતિ પ્રિય છે. કબીરવડ બાદ આ બીજું સૌથી મોટું ઝાડ છે. હાલ આ સ્થળને પર્યટન સ્થળ અને યાત્રાધામમાં પરિવર્તિત કરવા પણ સરકારે પ્રોજેક્ટ હાથ પર લીધો છે. વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે. ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન જતી કરે છે.

અહીં વાત થઈ રહી છે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની. કંથારપુર ગામમાં આવેલું છે મહાકાય મહાકાલી વડ. આ વડ પાસે મહાકાળી માતાજીનું વર્ષો જૂનું પૌરાણિક મંદિર પણ આવેલું છે. એના પરથી જ કંથારપુરના આ વડનું નામ મહાકાળી વડ પડી ગયું છે. તેથી આ વડ મહાકાળી વડ તરીકે જ ઓળખાય છે. તો કોઈ વળી તેને કંથારપુર વડ તરીકે પણ ઓળખે છે.

આ વડલો સતત તેનો વ્યાપ વધારીને ખેતરમાં ફેલાય તો પણ ખેડૂતો તેને કાપતા નથી. ગુજરાતમાં વિશાળ વૃક્ષમાં કબીરવડ બાદ કંથારપુર વડની ગણતરી થાય છે.  વડને કારણે અહીં પ્રવાસન પણ વિક્સયું છે. લોકો ગરમીની ઋતુમાં વડ મુલાકાત અચૂક લેતા હોય છે. વડની આસપાસ ખેડુતોની જમીન આવેલી છે.

મહાકાળી વડની વિશેષતા :

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામમાં આવેલું છે વિશાળ ઝાડ. આ ઝાડ છે વડનું. આ વડલો અત્યાર સુધી અનેક વડીલોને છાયડો આપી ચુક્યો છે. અને તેણે પણ અનેક તડકી છાયડી જોઈ લીધી છે. મહાકાળી વડ તરીકે ઓળખાતું આ વૃક્ષ ગુજરાતમાં કબીર વડ બાદ બીજું સૌથી મોટું વૃક્ષ છે.

આ વૃક્ષ અંદાજે 500 વર્ષ કરતા પણ જૂનું હોવાનું માનવામાં આવે છે. વડ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે.

આ પણ વાંચો :-