Saturday, Apr 25, 2026

સુરતમાં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે રોષ, આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કરાશે

2 Min Read
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં 12 વર્ષની સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે રોષ જગાવ્યો છે. ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરા સાથે મહંમદ અઝીઝ નામના શખ્સે કરેલી અડપલાંની ઘટના બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. સ્થિતિની ગંભીરતા જોતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આજે આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસે એક 12 વર્ષની પાટીદાર સગીરા સાંજે પોતાના ટ્યુશન ક્લાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન મહંમદ અઝીઝ નામના શખ્સે સગીરા પર નજર બગાડી તેની છેડતી કરી હતી. નિર્દોષ બાળકી સાથે થયેલી આ હરકતને પગલે વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીઓની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ચિંતા અને ગુસ્સાનું મોજું ફરી વળ્યું છે.

ગઈકાલે આ ઘટનાની જાણ થતા જ હજારોની સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભીડ બેકાબૂ બનતા અને સ્થિતિ તંગ થતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મોડી રાત સુધી પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન ચાલ્યા હતા, જેના કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી મહંમદ અઝીઝને આજે ઘટનાસ્થળે લઈ જવામાં આવશે. જે સ્થળે છેડતીની ઘટના બની હતી ત્યાં પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખા રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સ્થાનિક સંગઠનો અને સમાજના અગ્રણીઓ દ્વારા ન્યાયની માંગ સાથે શાંતિ જાળવવા પણ અપીલ કરવામાં આવી રહી છે.

Share This Article