કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપમાં સંજય રોયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હાલમાં તેને પોલિગ્રાફિક ટેસ્ટ માટે સંમતિ આપવા માટે સિયાલદહ કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો છે. સંજય રોયે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને તેને કોઈ પછતાવો નથી. સીબીઆઈ તપાસમાં સામે આવ્યું છે કે સંજયની આદતો પ્રાણીઓ જેવી છે અને તેને અશ્લીલ ફિલ્મો જોવાનું અને દારૂનું વ્યસન છે.
સામાન્ય રીતે કોર્ટમાં આરોપી જામીન માટે અથવા તો ધરપકડથી બચવા માટે અરજીઓ કરતાં હોય છે. આ માટે વકીલની મદદ લઈને લાંબી બહેસ પણ કરતાં હોય છે, જો કે આ કેસમાં આરોપીએ પોતે જ અપરાધ સ્વીકારી ચૂક્યો છે આથી આવી કોઇ ચીજોની જરૂર રહેતી નથી.
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. ઘટનામાં મહિલાને પશુની જેમ માર મારવામાં આવી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટ, મોં અને આંખોમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું. તેની કમર અને ગરદનનું હાડકું પણ તૂટી ગયું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા સંજય રોયે પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો. ગુનો આચરતા પહેલા આરોપીએ બે રેડ લાઈટ એરિયામાં જઈને દારૂ પણ પીધો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું.
8મી અને 9મી ઓગસ્ટ દરમિયાન સંજય રોય અલગ-અલગ બહાને કુલ ચાર વખત આર જી કર હોસ્પિટલની અંદર ગયો હતો. તેમાંથી ત્રણ વખત તે હોસ્પિટલની અંદર ગોળ ગોળ ફર્યો અને બહાર આવ્યો. પરંતુ તે ચોથી અને છેલ્લી વખત હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યાં સુધીમાં તેણે તાલીમાર્થી તબીબનો રેપ અને હત્યા કરી હતી. પરંતુ મામલો આનાથી પણ આગળ વધે છે. તપાસમાં જાણવા મળ્યું કે સંજય રોય ઘટનાની રાત્રે હોસ્પિટલની નજીકના રેડ લાઇટ એરિયામાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે રસ્તામાં એક યુવતીની છેડતી કરી હતી. બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પણ તેણે એક મહિલાને કોલ કર્યો અને તેની સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું.
આ પણ વાંચો :-