HomeSportsવેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, જાણો કેટલા ગુજરાતીને મળ્યું...

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, જાણો કેટલા ગુજરાતીને મળ્યું સ્થાન

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img
  • IND vs WI India Squad : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વન ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વન ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના પસંદગીકર્તા દ્વારા વન ડે અને ટેસ્ટ ટીમ જાહેર કરવામાં આવી છે. વન ડેમાં ચાર અને ટેસ્ટમાં ત્રણ ગુજરાતીને સ્થાન મળ્યું છે. અજિંક્ય રહાણને ટેસ્ટમાં વાઈસ કેપ્ટન બનાવાયો છે. જ્યારે વન ડેમાં હાર્દિક પંડયાને વાઈસ કેપ્ટન બનાવાયો છે.

વન ડે ટીમમાં કેટલા ગુજરાતી :

વન ડે ટીમમાં ચાર ગુજરાતી – હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડયા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર

ટેસ્ટ ટીમમાં પુજારાની બાદબાકી :

ટેસ્ટ ટીમમાં ત્રણ ગુજરાતીને સ્થાન મળ્યું છે. ચેતેશ્વર પુજારાની બાદબાકી કરવામાં આવી છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની

12 જુલાઇથી શરૂ થઈ રહ્યો છે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ  :

ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત બુધવાર, 12 જુલાઈએ પ્રથમ ટેસ્ટ મેચથી થશે, જે ડોમિનિકામાં રમાશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી 27 જુલાઈ ગુરુવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. વળી, 5 મેચોની T20 સીરીઝ ગુરુવાર 3 ઓગસ્ટથી શરૂ થશે અને આ પ્રવાસની છેલ્લી મેચ 13 ઓગસ્ટ, શનિવારે રમાશે.

મોબાઈલ પર કઈ એપ પરથી જોઈ શકાશે ફ્રીમાં મેચો  :

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ભારતીય ફેન્સ આ ટૂરમાં તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકોડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર Viacom18 એ ડિજિટલ બ્રોડકાસ્ટ માટે ફેનકોડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img