ગઈ કાલે મૃત્યુ થયાની ચર્ચાથી પૂનમ પાંડે આજે કહ્યું કે ‘હું જીવતી છું.

Share this story

ગઇકાલે એક સમાચાર આવ્યા હતા કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના મેનેજરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે એ બાદ પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર વિશે કોઈ સમાચાર સામે આવ્યા નહતા અને ઘણા લોકો કહી રહ્યા હતા કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે.

૩૨ વર્ષની ઉંમરે પૂનમ પાંડે ઈન્ડસ્ટ્રીની ચમકતી સ્ટાર બની ગઈ હતી. તે અવારનવાર કોઈને કોઈ વિવાદને કારણે હેડલાઈન્સમાં રહેતી હતી. હવે તેમના મૃત્યુના સમાચાર પણ વિવાદ બની ગયા છે. જો કે ગઇકાલે એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે ડ્રગ ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું છે પણ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તેના મેનેજરે અત્યાર સુધી માત્ર પૂનમના નિધનની પુષ્ટિ કરી છે.

પૂનમ પાંડેએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેમાં તેને પોતે કહ્યું કે ‘હું જીવતી છું.સર્વાઇકલ કેન્સરને કારણે મારુ મૃત્યુ નથી થયું. દુર્ભાગ્યપૂર્ણ હું આ વાત એ મહિલાઓ માટે નથી કહી શકતી જેમને કેન્સરને કારણે એમનો જીવ ગુમાવ્યો છે. આ એટલા માટે નહોતું કારણ કે તે મહિલાઓ કંઈ કરી શકતી ન હતી પરંતુ એટલા માટે હતું કારણ કે એમને શું કરવું તેની કોઈ જાણ નહોતી.

ઉમૈર સંધુએ પોતાના ટ્વીટમાં લખ્યું, પૂનમ પાંડેના કઝિન સાથે હમણાં જ વાત કરી, તે જીવિત છે અને તેના મૃત્યુના સમાચારનો આનંદ માણી રહી છે. પૂનમે પબ્લિસિટી સ્ટંટ કર્યો છે.’ ઉમૈર સંધુના આ ટ્વિટથી લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે.