Suryakumar Yadav made
- સૂર્યાની કપ્તાનીમાં મુંબઈએ KKR સામે જીત મેળવી હતી પણ તેને કેપ્ટનશીપ કરતી વખતે આ ભૂલને કારણે પહેલી જ મેચમાં લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL 2023ની ગઈકાલની 22મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને (Kolkata Knight Riders) 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો પણ ગઈ હાલની આ મેચમાં મોટા ઊલટફેર જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે મુંબઈનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેની સામે મુંબઈની ફિલ્ડિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવ ટીમની કમાન સંભાળી હતી. જો કે કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં કેપ્ટનશીપ કરતી વખતે સૂર્યકુમાર યાદવથી મોટી ભૂલ થઈ હતી.
𝐁. 𝐄. 𝐋. 𝐈. 𝐄. 𝐕. 𝐄. 💙 pic.twitter.com/aCLowaN63w
— Surya Kumar Yadav (@surya_14kumar) April 16, 2023
જણાવી દઈએ કે સૂર્યાની કપ્તાનીમાં મુંબઈએ KKR સામે જીત મેળવી હતી પણ તેને કેપ્ટનશીપ કરતી વખતે પહેલી જ મેચમાં લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાત એમ છે કે મેચમાં સ્લો ઓવર રેટના કારણે સૂર્યા પર આ પેનલ્ટી લગાવવામાં આવી છે અને આ ગુના માટે સૂર્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નોંધનીય છે કે રવિવારના રોજ આઈપીએલ મીડિયા એડવાઈઝરીએ જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સ્લો ઓવર-રેટના અપરાધો સંબંધિત આઈપીએલની આચાર સંહિતા હેઠળ સીઝનનો તેની ટીમનો પ્રથમ ગુનો હતો.
KKR સામેની મુંબઈની ટીમ પોતાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા વિના મેદાનમાં ઉતરી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માના પેટમાં થોડી સમસ્યા હતી એ કારણે તે આ મેચમાંથી બહાર થયો હતો. એ બાદ મેચમાં તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી પણ અંહિયા એક રસપ્રદ વાત એ હતી કે મુંબઈની ઈનિંગ્સ દરમિયાન રોહિત બેટિંગ કરવા આવ્યો હતો જેમાં તેને 13 બોલમાં 20 રન કર્યા હતા.
આ પણ વાંચો :-
- પેટ્રોલ પંપ આ સુવિધાઓ મફતમાં ન મળે તો કરી શકો છો ફરિયાદ, રદ થઈ જશે પેટ્રોલ પંપનું લાયસન્સ
- ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, સુરતથી ઉપડતી ટ્રેનોમાં ભીડના દ્રશ્યો ડરાવના લાગશે