HomeSurat Cityસુરત સિવિલ ખાતે 62 વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પટેલના અંગદાનથી ત્રણને નવજીવન

સુરત સિવિલ ખાતે 62 વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પટેલના અંગદાનથી ત્રણને નવજીવન

Date:

Related stories

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...
spot_img

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 82મું સફળ અંગદાન થયું છે. મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહેતા 62 વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પ્રભુભાઈ પટેલના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે ત્રણ લોકોને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહીને સિક્યોરિટી ગાર્ડની ફરજ બજાવતા હતા. ત્યારે તા.24મી ઓક્ટોબરે બપોરે 12:00 વાગ્યે દલપતભાઈ પટેલને ચક્કર આવતા પડી ગયા હતા. પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતાં તરત જ તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને 2/A વોર્ડમાં દાખલ કર્યા બાદ તેમની હાલત ગંભીર જણાતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા.તા.28મી ઓક્ટોબરના રોજ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ અને ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

ત્યારબાદ પટેલ પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલરે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ.દલપતભાઈના પત્ની હંસાબેન અને પુત્ર જયદીપભાઈ, દિકરીઓ પારૂલબેન દલપતભાઈ, અમરૂતાબેન દલપતભાઈ અને ઇલાક્ષીબેન દલપતભાઈ સહિત પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.

Subscribe

Latest stories

spot_img