HomeSurat Cityસુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો આપઘાત

સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો આપઘાત

Date:

Related stories

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...
spot_img

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ દુઃખદ ઘટનાથી ખત્રી સમાજ અને સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં મિલ ચલાવતા હતા
સલાબતપુરા વિસ્તારની ખાંગડશેરી ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની અને પરિવાર સાથે રહેતા રશ્મિન કાચીવાલા પલસાણામાં આવેલ ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં “જે.પી. કાચીવાલા” નામથી પોતાની મિલ યુનિટ ચલાવતા હતા. આ યુનિટની જવાબદારી તેઓ પોતાના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા. ઉદ્યોગપતિ દ્વારા આટલું આત્યાંતિક પગલું ભરાતા અનેક સવાલો ઉભા થયા છે.

ડિપ્રેશનનું ચોક્કસ કારણ હજુ રહસ્યમય
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાક સમયથી કોઈ અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં હતા, પરંતુ આ ડિપ્રેશન પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. પોલીસે હાલ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમેરિકામાં રહેલો પુત્ર દુઃખદ સમાચાર સાંભળી પરત ફરશે
મૃતક રશ્મિન કાચીવાલાનો એક જ પુત્ર છે, જે હાલમાં અભ્યાસ અથવા વ્યવસાય માટે અમેરિકા ખાતે રહે છે. પિતાના આ અચાનક નિધનના સમાચાર મળતાં જ તે ટૂંક સમયમાં સુરત પરત ફરશે.

ઉદ્યોગ અને સમાજમાં શોકની લાગણી
ખત્રી સમાજના અગ્રણી અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા રશ્મિન કાચીવાલાના આ પગલાને કારણે માત્ર તેમનો પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગ અને સમાજ વર્તુળમાં ઊંડો શોક ફેલાયો છે. પોલીસે આત્મહત્યા પાછળના સંભવિત કારણો તરીકે ધંધાકીય તણાવ, દેવું અથવા પારિવારિક તકલીફોની દિશામાં તપાસ શરૂ કરી છે.

Subscribe

Latest stories

spot_img