સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટમાં નોટિસ પાઠવી છે. આજથી (12 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ-1991ને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ. સુનાવણી દરમિયાન CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની સ્પેશિયલ બેન્ચે કહ્યું કે અમે એક વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આગામી સુનાવણી સુધી કોઈ નવી અરજી દાખલ કરી શકાશે નહીં. કોર્ટે તમામ પક્ષકારોને તેમની દલીલો સંપૂર્ણ રીતે તૈયાર રાખવા જણાવ્યું હતું જેથી કેસનો ઝડપથી નિકાલ થઈ શકે. આ અરજી સીપીઆઈ-એમ, ઈન્ડિયન મુસ્લિમ લીગ, એનસીપી શરદ પવાર, આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા સહિત 6 પક્ષોએ દાખલ કરી છે.

ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે પોતાની જનહિત અરજીમાં કહ્યુ છે કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને નાબૂદ કરવાની માગ કરાઈ છે જેથી ઈતિહાસની ભૂલોને સુધારવામાં આવે અને અતીતમાં ઈસ્લામી શાસકો દ્વારા અન્ય ધર્મોના જે-જે પૂજા સ્થળો અને તીર્થ સ્થળોનો વિનાશ કરીને તેમની પર ઈસ્લામિક માળખા બનાવાયા, તેમને પાછુ તેમને સોંપવામાં આવી શકે જે તેમના અસલી હકદાર છે.
અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં કહ્યુ છે કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991ની જોગવાઈ મનસ્વી અને ગેરબંધારણીય છે. આ જોગવાઈની અનુચ્છેદ 14, 15, 21, 25, 26 અને 29નુ ઉલ્લંઘન કરે છે. બંધારણના સમાનતાનો અધિકાર, જીવનનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકારમાં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991માં હસ્તક્ષેપ કરે છે.
કેન્દ્ર સરકારે પોતાના અધિકાર વિસ્તારથી બહાર જઈને આ કાયદો બનાવ્યો છે. પૂજા પાઠ અને ધાર્મિક વિષય રાજ્યનો વિષય છે અને કેન્દ્ર સરકારે આ મામલે મનસ્વી કાયદો બનાવ્યો છે.
તેમણે કહ્યુ કે ભારતમાં મુસ્લિમ શાસન 1192માં સ્થાપિત થયુ, જ્યારે મુહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પરાજિત કરી દીધા હતા ત્યારથી 1947 સુધી ભારત પર વિદેશી શાસન જ રહ્યુ. તેથી જો ધાર્મિક સ્થળના ચરિત્રને અરબંધ રાખવાનો કોઈ કટ ઓફ ડેટ નક્કી કરવાની છે તો તે 1192 હોવી જોઈએ. જે બાદ હજારો મંદિરો અને હિંદુઓ, બૌદ્ધો અને જૈનોના તીર્થસ્થળોનો વિનાશ થતો રહ્યો અને મુસ્લિમ શાસકોએ તેમને નુકસાન પહોંચાડ્યુ અને તેમનો વિનાશ કરીને તેને મસ્જિદોમાં બદલી દીધુ.
આ પણ વાંચો :-