પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર આત્મઘાતી હુમલો, સુરક્ષાકર્મી સહિત ૨૪ લોકોનાં મોત

Share this story

પાકિસ્તાનમાં એક આર્મી બેઝ અને પોલીસ સ્ટેશન પર ભીષણ આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ૨૪ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હવે મોતનો આંકડો હજુ વધી શકે છે. પહેલા એવા અહેવાલ હતા કે માત્ર ૪ લોકોના મોત થયા છે, પરંતુ હવે આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. હુમલા સમયે મરનાર મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. આ તમામ લોકો સામાન્ય વસ્ત્રોમાં સજ્જ હતા અને સેનાના ગણવેશમાં ન હતા. આવી સ્થિતિમાં, એ કહેવું મુશ્કેલ છે કે આ હુમલામાં કેટલા સૈનિકો માર્યા ગયા છે અને કેટલા નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

આ હુમલાની જવાબદારી તહરિક એ જિહાદ પાકિસ્તાન નામના આતંકી સંગઠને લીધી છે. ગત નવેમ્બર મહિનામાં પણ પાકિસ્તાનના મિંયાવાલી એરબેઝ પર આત્મઘાતી હુમલો થયો હતો અને નવ આતંકીઓ પાકિસ્તાની એરફોર્સના આ બેઝની સુરક્ષા વ્યવસ્થાને તોડીને અંદર ઘુસી ગયા હતા. બંને તરફથી ભારે ફાયરિંગ થયુ હતુ અને આખરે નવ આતંકીઓને ઢાળી દેવાયા હતા. આ હુમલાની જવાબદારી તહેરીક એ જિહાદ પાકિસ્તાન સંગઠને જ લીધી હતી અને હવે આ સંગઠને પોલીસ મથકને નિશાન બનાવ્યુ છે.  હવે આતંકીઓએ પોલીસ મથકને નિશાન બનાવ્યુ છે. પોલીસ મથકમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. પોલીસ અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ પણ થયુ હતુ અને તેમાં સુરક્ષા દળોના ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો.

માહિતી અનુસાર મૃતકોમાં સામેલ મોટાભાગના લોકો હુમલાના સમયે ઊંઘી રહ્યા હતા. આ બધા લોકો સામાન્ય કપડામાં હતા અને સૈન્યનું યુનિફોર્મ નહોતું પહેર્યું. એવામાં એમ કહેવું મુશ્કેલ છે કે હુમલામાં કેટલા સૈનિકો માર્યા ગયા છે અને સામાન્ય નાગરિકોની જાનહાનિ કેટલી થઈ છે? હજુ મૃત્યુઆંક વધી શકે છે. આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકથી ભરેલી ગાડી લઈને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો. તેને રોકવામાં આવતા ફાયરિંગ શરૂ થઇ હતી અને છેવટે મોટી જાનહાનિ થઈ. આ હુમલા સમયે સૈનિકો અને પોલીસકર્મીઓ તૈયાર નહોતા.

આ પણ વાંચો :-