વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં તપાસ માટે SITની રચના કરાઈ

Share this story

વડોદરામાં ગઈકાલે હરણી તળાવમાં ઘટેલી બોટ દુર્ઘટનામાં ૧૪ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાં છે. શિક્ષકો સહિત નાના ભૂલકાંઓ તળાવમાં ડૂબી જવાની ઘટનાના પડઘા હવે હાઈકોર્ટમાં પડ્યાં છે. એડવોકેટ એસોસિએશન દ્વારા હાઈકોર્ટને સમગ્ર ઘટનામાં સુઓમોટો લેવા માટે વિનંતી કરવામાં આવી છે. હાઈકોર્ટે એસોસિએશનને અહેવાલ રજૂ કરવા કહ્યું છે. કોર્ટ સમાચારપત્રોમાં આવેલા અહેવાલો પણ રજૂ કરવાનો હૂકમ કર્યો છે. બીજીબાજુ આ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે.

SIT ટીમના સભ્યો

  • ટીમમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાને અધ્યક્ષ બનાવ્યા
  • ડીસીપી ઝોન ૪ પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી
  • ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજાને સુપરવિઝન અધિકારી
  • ACP ક્રાઇમ એચ એ રાઠોડ – તપાસ અધિકારી
  • હરણી PI – સી બી ટંડેલ – સભ્ય
  • ક્રાઇમ બ્રાન્ચ PI – એમ એફ ચૌધરી – સભ્ય
  • ક્રાઈમ બ્રાન્ચ PSI પી એમ ધાકડા – સભ્ય

વડોદરા હરણી લેકઝોનની તમામ એન્ટ્રી-એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી છે. ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. અને ગુનો દાખલ થયો હોવાથી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અને જો કોઇ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો અંગે કાર્યવાહી કરાશે.આ મામલે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ ૧૮ લોકો સામે ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે.

આ પણ વાંચો :-